ઈંટરવ્યુનું નામ સાંભળતા જ મોટાભાગના
લોકોને પરસેવો છૂટી જાય છે. દરેક સમયે એ જ વાત મગજમાં ફરે છે કે
ઈંટરવ્યુમાં કયો પ્રશ્ન પૂછશે. તેમને જવાબ આપી શકીશ કે નહી. આ રીતે
ઈંટરવ્યુ પહેલા જ અનેક લોકો નર્વસ થઈ જાય છે. જો તમે પણ ઈંટરવ્યુ આપવા જઈ
રહ્યા છો તો નીચે લખેલા ઉપાય કરો. આ ઉપાયથી ઈંટરવ્યુમાં સફળતા મળવાના ચાંસ
વધી જાય છે.
મંત્ર
ऊँ ह्रीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा।
ઉપાય - શુભ દિવસ જોઈને સવારે જલ્દી ઉઠીને
સ્નાન વગેરે કર્યા પછી સફેદ રંગનુ સૂતી આસન પાથરી પૂર્વ દિશા તરફ મોઢુ
કરીને તેના પર બેસી જાવ. હવે તમારી સામે પીળુ કપડું પાથરીને તેના પર 108
દાણાવાળી સ્ફટિકની માળા મુકી દો અને તેના પર કેસર અને અત્તર છાંટી તેની
પૂજા કરો.
ત્યારબાદ ધૂપ, દીપ અને અગરબત્તી બતાવીને
નીચે લખેલ મંત્રનો 31 વાર ઉચ્ચારણ કરો. આ રીતે અગિયાર દિવસ સુધી કરવાથી તે
મળા સિદ્ધ થઈ જશે. જ્યારે પણ કોઈ ઈંટરવ્યુમાં જાવ તો આ માળાને પહેરીને જાવ.
આવુ કરવાથી જલ્દી ઈંટરવ્યુમાં સફળતા મળશે.
No comments:
Post a Comment