Wednesday, June 17, 2015

આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે

hanuman chalisa
 
જો તમે કોઈ લક્ષ્ય પુરુ કરવા માંગતા હોય તો
  'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.


જો આપ નોકરી મેળવવા માંગતા હોય કે તમારા જીવનનું કોઈ સંકટ દૂર કરવા માંગતા હોય તો હનુમાનજીને દર શનિવારે તેલ અને સિંદૂર ચઢાવો. ચઢાવેલ થોડુ સિંદૂર પોતાના માથા ઉપર લગાવવાની સાથે જ ઘરના દેવઘર કે મંદિરના દ્વારની આસપાસ શ્રીરામ લખો કે સ્વસ્તિક બનાવો. આ સંકટમોચક કરનારો ઉપાય માનવામાં આવે છે.

હિન્દુ ધર્મ માન્યતાઓમાં હનુમાનજીને રુદ્ર અવતાર, રામદૂર હોવાની સાથે જ અજર-અમર દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે જ એવું માનવામાં આવે છે કે કળયુગમાં પણ તેઓ ભક્તોની આસપાસ જ મોજુદ હોય છે અને કોઈપણ રૂપમાં કરવામાં આવેલ ભક્તિનું શુભ ફળ ઝડપથી આપે છે

No comments:

Post a Comment