Showing posts with label Arvind Kejriwal. Show all posts
Showing posts with label Arvind Kejriwal. Show all posts

Thursday, July 21, 2022

તમે તો છાસ પર GST નાખ્યો, અમે તો વીજળી મફત આપીશું.

 જે કામ અમે દિલ્હી અને પંજાબમાં કર્યુ તે ગુજરાતમાં કરીને બતાવીશું. આ સાથે જ તેમણે કહ્યું કે, માત્ર ફ્રી વીજળી જ નહી પરંતુ સાથે જ પાવર કટ પર નહી થાય એટલે કે 24 કલાક વીજળી મળી શકશે. કેજરીવાલે વીજળી સંબંધિત ત્રીજી મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, 31 ડિસેમ્બર પહેલા તમામ ડોમેસ્ટિક બિલ માફ કરી દેવામાં આવશે. તેમણે એ પણ દાવો કર્યો કે બિલ માફ કરવાથી સરકાર પર કોઈ બોજો નહી પડે. પણ જો 300 યુનિટ થી વધુ એટલે કે 301 યુનિટ હશે તો પૂરે પૂરુ બિલ ભરવું પડશે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે. કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.

તેઓ આજે ગુજરાતના રાજ્ય સંગઠન સાથે ચૂંટણીઅંગે સમીક્ષા બેઠક યોજશે.આજે સવારથી જ સુરતની ખાનગી હોટલમાં મીટિંગનો દોર ચાલુ છે. હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.



દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે.