Showing posts with label lord shiva. Show all posts
Showing posts with label lord shiva. Show all posts

Thursday, July 28, 2022

જાણો ભગવાન શિવ પંચમુખી કેમ કહેવાયા



 
શિવને પંચમુખી. દશભૂજા યુક્ત માનવામાં આવે છે. શિવના પશ્ચિમ મુખનુ પૂજન પૃથ્વી તત્વના રૂપમાં કરવામાં આવે છે. તેમના ઉત્તર મુખનુ પૂજન જળ તત્વના રૂપમાં. દક્ષિણ મુખનુ તેજસ તત્વના રૂપમાં અને પૂર્વ મુખનુ વાયુ તત્વના રૂપમાં કરવામાં આવે છે. ભગવાન શિવના ઉધ્વમુખનુ પૂજન આકાશ તત્વના રૂપમાં કરવામાં આવે છે આ પાંચ તત્વોનુ નિર્માણ ભગવાન સદાશિવ દ્વારા જ થયુ છે. આ પાંચ તત્વોથી સંપૂર્ણ ચરાચર જગતનુ નિર્માણ થયુ છે. ત્યારે જ તો ભવરાજ પુષ્પદંત મહિમ્નમાં કહે છે - હે સદાશિવ તમારી શક્તિથી જ આ સંપૂર્ણ સંસસર ચર-અચરનુ નિર્માણ થયુ છે. 


 
આ જ રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન શિવ ઉત્પત્તિ. સ્થિતિ અને સંહારના દ્રષ્ટા છે. નિર્માણ. રક્ષણ અને સંહરણ કાર્યોના કર્તા હોવાને કારણે તેમને જ બ્રહ્મા. વિષ્ણુ અને રુદ્ર કહેવામાં આવ્યા છે. ઈર્દ અને ઈત્થં સાથે તેમનુ વર્ણ શબ્દથી ઉપર છે. શિવની મહિમા વાણીનો વિષય નથી. મનનો વિષય પણ નથી. તે બધા બ્રહ્માંડમાં તદ્રુપ થઈને વિદ્યમાન થવાથી સદા શ્વાસ-પ્રશ્વાસમાં અનુભૂત થતા રહે છે.  આ જ કારણે ઈશ્વરના સ્વરૂપને અનુભવ અને આનંદની સંજ્ઞા આપવામાં આવી છે. 
 
ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમા ત્રિનેત્ર. જટાઘર. ગંગાધર. મહાકાલ. કાલ. નક્ષત્રસાધક. જ્યોતિષમયા. ત્રિકાલઘુપ. શત્રુહંતા વગેરે અનેક નામ છે. 
 
ભગવાન શિવનુ એક નમ શત્રુહંતા પણ છે. જેનો અર્થ છે તમારી અંદરના શત્રુ ભાવને સમાપ્ત કરવો. અનેક કથાઓમાં આપણે જોઈએ છીએ કે જ્યારે બ્રહ્માંડ પર કોઈ પણ વિપત્તિ આવી. બધા દેવતા શિવની પાસે ગયા. ભલે સમુદ્રમંથનથી નીકળણારુ ઝેર હોય કે ત્રિપુરાસુરના આતંક કે આપતદૈત્યનો કોલહલ. આ કારણે ભગવાન શિવ પરિવારના બધા વાહન શત્રુ ભાવ ત્યાગીને પરસ્પર મૈત્રીભાવથી રહે છે. શિવજીનુ વાહન નંદી(બૈલ). પાર્વતીનુ વાહન સિંહ, ભગવાનના ગળાનો સર્પ કાર્તિકેયનુ વાહન મયુર, ગણેશનુ ઉંદર બધા પરસ્પર પ્રેમ અને સહયોગના ભાવથી રહે છે. 
 
શિવને ત્રિનેત્ર કહેવામાં આવ્યા છે. આ ત્રણ નેત્ર સૂર્ય, ચંદ્ર અને વહની છે. જેમનુ નેત્ર સૂય્ર અને ચંદ્ર છે. શિવના વિશે જેટલુ જાણીએ એટલુ ઓછુ છે. વધુ ન કહેતા એટલુ જ કહેવુ પુરતુ રહેશે કે શિવ ફક્ત નામ જ નથી પણ સંપૂર્ણ બ્રહ્માંડની દરેક હલચલ પરિવર્તિત. પરિવર્તધન વગેરેમાં ભગવાન સદાશિવના સર્વવ્યાપી સ્વરૂપના જ દર્શન થાય છે.

Friday, July 15, 2022

શિવ પુરાણ - શિવ મહિમા

શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે.   શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન-પૂજન માની લેવાય છે.   આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ), ઉમા, લક્ષ્મી, શચિ ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે! 

 
 
  શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાસ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી.   શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને "ષોડશોપચાર" કહેવામાં આવે છે.   શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છે: (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરુ લિંગ 
 
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવના દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. હત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્‍પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્‍યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્‍યવસ્‍થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. બધાના સ્‍વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. 
 
શ્રી શિવ મહાપુરાણ સ્‍વયં ભગવાન શિવજીએ રચ્‍યું છે. તેનું સંક્ષિપ્‍ત સ્‍વરૂપ શ્રી વેદ વ્‍યાસજીએ આપ્‍યું છે. આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ, ૨૯૭ અધ્‍યાય અને ૨૪૦૦૦ શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. સમાજના મુખ્‍ય પ્રશ્નો જેવાકે,
 
* સદ વિચાર કેવી રીતે ઉદભવે ?
*  ભક્તિ કેવી રીતે મળે ? 
* શું કરવાથી વિવેક વધે ? 
*  જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઇએ ? 
*  પરમાત્‍મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય ? 
* પરમાત્‍મા કોણ છે ? પરમાત્‍માને કેવી રીતે મેળવી શકાય ? 
 
આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્‍યાં બધા તિર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કલ્‍યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્‍યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવ મહાપુરાણ કથા.

Saturday, June 13, 2015

પ્રચંડ ભૂકંપ પછી પણ પશુપતિનાથ મંદિર સુરક્ષિત કેવી રીતે ? વિજ્ઞાન કે શિવજ્ઞાન



pashupatinath
યુનેસ્કો વિશ્વ સાંસ્કૃતિક વિરાસત સ્થળમાં સૂચીબદ્ધ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં બાગમતી નદીના તટ પર સ્થિત પશુપતિનાથ મંદિર મંદિર સનાતનધર્મના આઠ સર્વાધિક પવિત્ર સ્થળોમાંથી એક છે. પૌરાણિક કાળમાં કાઠમાંડૂનુ નામ કાંતિપુર હતુ. માન્યતામુજબ મંદિરનુ માળખુ પ્રાકૃતિક વિપદાઓથી અનેકવાર નષ્ટ થયો છે. પરંતુ તેનો ગર્ભગૃહ પૌરાણિક કાળથી અત્યારસુધી સંપૂર્ણ રૂપે સુરક્ષિત છે. લોકો આ પહેલી શતાબ્દીનુ માનીએ તો ઈતિહાસ તેની ત્રીજી શતાબ્દીનુ માનવુ છે. 
 
શનિવાર તારીખ 25.04.15ના સવારે 11 વાગીને 41 મિનિટ પર આવેલ 7.9 તીવ્રતાના ભીષણ ભૂકંપથી આખા નેપાળમાં તબાહી મચી ગઈ છે. જ્યા એક બાજુ હજારોની સંખ્યામાં લોકોનુ મોત થયુ છે બીજી બાજુ વૈજ્ઞાનિક તકનીકથી બનેલ અસંખ્ય ઈમારો પણ ઘરાશાઈ થઈ.  પરંતુ પશુપતિનાથ મંદિરના ગર્ભગૃહ કાલે પણ વિદ્યમાન હતુ અને આજે પણ વિદ્યમાન છે.  આવો જાણીએ છે તેની પાછળ વિજ્ઞાન છે કે શિવજ્ઞાન. હિમવતખંડ કિવ6દતી અનુસાર એક સમયમાં ભગવાન શંકર ચિંકારાનુ રૂપ ધારણ કરી કાશી ત્યાગકરીને બાગમતી નદીના કિનારે મૃગસ્થળી વન ચાલ્યા ગયા હતા. 
 
દેવતાઓએ તેમને શોધીને પુન: કાશી લાવવાનો પ્રયાસ કર્યો પરંતુ શિવ દ્વારા નદીના બીજા છોર પર છલાંગ લગાવવાને કારણે તેમના સીંગ ચાર ટુકડામાં તૂટી ગયા જેનાથી ભગવાન પશુપતિ ચતુર્મુખ લિંગના રૂપમાં પ્રકટ થયા. જ્યોતિલિંગ કેદારનાથની કિંવદંતી અનુસાર પાંડવોના સ્વર્ગપ્રયાણ દરમિયાન ભગવાન શંકરે પાંડવોના ભેંસાનુ રૂપ ઘરી દર્શન આપ્યા હતા જે પછી ધરતીમાં સમાવી ગયા પરંતુ ભીમે તેમની પુંછ પકડી લીધી હતી.  જે સ્થાન પર ધરતીની બહાર તેમની પૂંછ રહી ગઈ તે સ્થાન જ્યોર્તિલિંગ કેદારનાથ કહેવાયુ અને જ્યા ધરતીની બહાર તેમનુ મુખ પ્રકટ થયુ તે સ્થાન પશુપતિનાથ કહેવાયા. આ કથાની પુષ્ટિ સ્કંદપુરાણ પણ કરે છે.  
 
વાસ્તુ વિજ્ઞાન અનુસાર પશુપતિનાથ ગર્ભગૃહમાં એક મીટર ઊંચા ચારમુખી લિંગ વિગ્રહ સ્થિત છે. દરેક મુખાકૃતિના જમણા હાથમાં રૂદ્રાક્ષની માળા અને ડાબી હાથમાં કમંડળ છે. દરેક મુખ જુદા જુદા ગુણ પ્રકટ કરે છે.  પહેલા દક્ષિણ મુખને અઘોર કહે છે.  બીજા પૂર્વ મુખને તત્પુરૂષ કહે છે.  ત્રીજા ઉત્તર મુખને અર્ધનારીશ્વર કે વામદેવ કહે છે. ચોથા પશ્ચિમી મુખને સાધ્યોજટા કહે છે અને ઉપરીભાગના નિરાકાર મુખને ઈશાન કહે છે. 
 
માન્યતામુજબ પશુપતિનાથ ચતુર્મુખી શિવલિંગ ચાર ધામો અને ચાર વેદોનુ પ્રતિક માનવામાં આવે છે. મંદિર એક મીટર ઊંચા 
ચબુતરા પર સ્થાપિત છે.   પશુપતિનાથ શિવલિંગની સામે ચાર દરવાજા છે. જે ચારેય દિશાઓને સંબોધિત કરે છે. અહી મહિષ 
રૂપધારી ભગવાન શિવનો શિરોભાગ છે. જેના પાછળનો ભાગ કેદારનાથમાં છે.  આ મંદિરનુ નિર્માણ વાસ્તુ આધારિત જ્ઞાન પર 
પગોડા શૈલી મુજબ થયુ છે. પગોડા શૈલી મૂળરૂપથી ઉત્તરપૂર્વી ભારતાના ક્ષેત્રથી ઉદય થયો હતો જેને ચાઈના અને પૂર્વી વિશ્વએ અપનાવ્યુ અને નામ આપ્યુ ફેંગશુઈ. 
 
24 જૂન 2013 ઉત્તર ભારતમાં ભારે વરસાદના કરણે ઉત્તરાખંડમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ પૈદા થઈ ગઈ અને આ ભયાનક 
વિપદામાં 5000થી વધુ લોકો માર્યા ગયા હતા.  સર્વાધિક તબાહી રુદ્રપ્રયાગ જીલ્લામાં આવેલ શિવની નગરી કેદારનાથમાં થઈ હતી. પરંતુ તેની ભારે પ્રાકૃતિક વિપદાના પછી પણ કેદારનાથ મંદિર સુરક્ષિત રહ્યુ હતુ અને આજે પણ અટલ છે. શનિવાર તારીખ 25.04.15 સવારે 11 વાગીને 41 મિનિટ પર આવ્યા 7.9 તીવ્રતાના ભીષણ ભૂકંપ ઉપરાંત પણ પશુપતિનાથ ગર્ભગ્રહ સંપુર્ણ રીતે સુરક્ષિત છે.  
 
સ્કંદપુરાણ મુજબ આ બંને મંદિર એકબીજાના મુખ અને પુચ્છ સાથે જોડાયેલ છે અને આ બંને મંદિરોમાં પરમેશ્વર શિવ દ્વારા રચિત વાસ્તુ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂળ સ્વરૂપે બધા શિવાલયોના નિર્માણમાં શિવલિંગ જેટલુ ભૂસ્થળથી ઉપર હોય છે.  એટલુ જ ભૂસ્થળની નીચે સમાહિત હોય છે. અહી વિજ્ઞાનના એક સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવે છે. જેને 'સેંટર ઓફ ગ્રેવિટી' 'ગુરૂત્વાકર્શન કેન્દ્ર'  કહે છે. વિજ્ઞાનના આ સિદ્ધાંતને વાસ્તુમાંથી લેવામાં આવ્યો છે. 
 
વૈદિક પદ્ધતિ મુજબ શિવાલયોનું નિર્માણ સદૈવ ત્યા જ કરવામાં આવે છે જ્યા પૃથ્વીની ચુંબકીય તરંગો ગાઢ હોય છે. શિવાલયોમાં શિવલિંગ એવા સ્થાન પર સ્થાપિત કરવામાં આવે છે જ્યા ચુંબલીય તરંગોના નાભિકીય ક્ષેત્ર વિદ્ધમાન હોય. અને સ્થાપનાના સમયે ગુંબદનુ કેન્દ્ર શિવલિંગના કેન્દ્રના સીધા સાપેક્ષિત રૂપે સ્થાપિત કરવામાં આવે છે.  આ શિવનુ જ જ્ઞન છે જેને કેટલાક લોકો વિજ્ઞાન અને ભૂતત્વ વિજ્ઞાનના નામથી ઓળખે છે