Friday, June 12, 2015

જૈન શાસનના પ્રભાવશાળી મંત્રો


૧. કોઈપણ શુભ મંત્રગણતાં પહેલાં, ગુરુ ભગવંત ને પુછી, જણાવી સંમતિ લઈ ગણવો જોઈએ.
ર. શરૂઆત ૧ માળા પરમાત્મા સમક્ષ ૧ બાંધા પારાની નવકારવાળી ગણવી.
૩. શરૂઆત વહેલી સવારે, શુદ્ધવસ્ત્રો, પૂર્વ કે ઉત્તર દિશા સામે બેસી કટાસણા ઉપર, નિયતસંખ્યાનીમાળા નક્કી કરી, સૂતરની માળા ઉપર ગણવાથી વિશેષ-વિશેષ લાભ થાય છે.
૪. શરૂઆત કરતાં પહેલાં દૃઢસંકલ્પ કે આ જાપ પૂર્ણ કરીશ, ખાડો પાડ્યાં વિના કરીશ, ભાવથી ગણીશ,   એકાગ્રચિત્તથી કરીશ અને સર્વના શ્રેય માટે કરીશ તો નક્કી કરેલ મંત્ર શીઘ્રતાથી ફળેછે.
પ. બ્રહ્મચર્યવ્રત અવશ્ય પાળવું, કંદમૂળ અભક્ષ્ય ન ખાવું, શક્ય હોય તો  આંબેલ કરવું  જાપ દરમ્યાન, નહિંતર  એકાશન-બિયાસણું કરવું, છેલ્લે રાત્રિભોજનનો ત્યાગ તો અવશ્ય કરવો.
કોઈપણ  મંત્ર શક્તિશાળી હોય જ છે, ફળે જ છે. માત્રશંકા-વ્હેમ કે ખંડિત થવાથી તે નિષ્ફળ બને છે. તેથી ધ્યાન દઈ, મન પરોવી, કેન્સર માં ડોકટર પ્રત્યે શ્રદ્ધા રાખી દવા લઈએ તેમ સુદેવ-   સુગુરુ પાસે શ્રદ્ધા રાખી જાપ કરવો.
દરેક મંત્ર ગણતા પહેલાં આ વાક્ય બોલી મંત્ર ગણવાનીશરૂઆત કરો.
શ્રી તિર્થંકર ગણધર પ્રસાદાત્ એષઃયોગઃફલતુ
શ્રી નમસ્કાર મહામંત્રના પ્રભાવશાળી મંત્રો
  દિવ્ય મંત્ર
(૧) ૐ હ્રીં નમો અરિહંતાણં, ૐ હ્રીં નમો સિદ્ધાણં,  હ્રીં નમો આયરિયાણં,  હ્રીં નમો ઉવજઝાયાણં,  ૐ હ્રીં નમો લોસવ્વસાહૂણં|
વિધિઃઆપાંચ પદો નો રોજ ૧૦૮ વાર શાંત ચિત્તે જાપ કરવાથી ગેમ તેટલી મોટી આપત્તિ, ભય, ટેન્શન કે
દુઃખો આવ્યા હોય તો તુરંત શાંત થાય છે. રસ્તો મળી આવે છે અને સુખના દિવસો ફરી પાછા આવે છે.
ચમત્કારીકમંત્ર
(ર) ૐ નમો અરિહંતાણં, ૐ નમો સિદ્ધાણં, ૐ નમો આયરિયાણં,ૐ નમો ઉવજઝાયાણં,
     ૐ નમો લોએ સવ્વસાહૂણં,ૐ હ્રાઁ હ્રીં હ્રઁ હ્રૌઁ હ્રઃ સ્વાહા 
  ચમત્કાર કરે તેવો પ્રભાવશાળી મંત્ર છે. મનમાં જે જે ઈચ્છેલું હોય તે તો મળે જ છે. તે સિવાય            
 તમારું હિત કે કલ્યાણ જેનાથી થવાનું હોય તે પણ મળી આવેછે. રોજ ૧૦૮ વાર પૂર્ણ શ્રદ્ધા અને        
  શાંતિથી શુભદિવસે ચાલુ કરી ગણવો.

૧૬ અક્ષરી વિદ્યામંત્ર
(૩) અરિહંત સિદ્ધ આયરિય ઉવજઝાય સાહૂ
ર૦૦  વાર જાપ ઓછામાં ઓછો કરવો. રોજ ર૧ દિન અખંડ પણે ગણવો. લાભ થાય, કષ્ટ,                    
રોગ, પીડા, ભય દૂર થાય.
ત્રિભૂવનસ્વામિનીવિદ્યા
(૪) ૐ અર્હતે ઉત્પત ઉત્પત સ્વાહા
  શુભ દિવસથી, હૃદય કમળ મા અરિહંત ભગવંત ને સ્થાપી, નિત્ય ૧૦૮ વાર જપવો .                          
 સર્વત્ર આદર, માન, યશઃર્કીિત અને પ્રભાવીપણું મળે.

નમસ્કારમહામંત્રનાગુપ્તમંત્રો
(પ) . ૐ હ્રીં અર્હત ઉત્પત ઉત્પત સ્વાહા
શુભ દિને સારા મુહૂર્તે ત્રિકાળ દસ-દસ માળા ગણવાથી અખૂટ લક્ષ્મી મળે, દરિદ્રતા શીઘ્ર ચાલી જાય છે.
. હ્રીંવરેસુવરેઅસિઆઉસાયનમઃ 
આ મંત્ર સર્વસિદ્ધિદાયક છે. મહા પ્રભાવક છે. ર૧ દિન સુધી.રોજ ૧૦માળા ગણવાથી મનવાંછિત મળે છે.
.  હ્રીં શ્રીં કલીં બ્લૂઁ અહ્રઁ નમઃ
ર૧ હજાર નો જાપ કરવો. પછી ત્રિકાળ૧-૧ માળા ગણવાથી મનવાંછિત કાર્ય અચૂક સિદ્ધ થાય છે.
. તારેતારેવિરે, તારેવિરેવિરેહ્રીંફટસ્વાહા
કોઈપણ  રવિવારે સવારે સૂર્યોદય વખતે ભોજપત્ર પર અષ્ટગંધ શાહી થી લખવો. ૧રપ૦૦, સાડાબાર
હજારની જાપ કરી પછી રોજ ૧ માળા ગણવી અને સફેદ દોરાને લઈ ૧ ગાંઠ બાંધવી, બીજે દિને ૧માળા
ગણી રજી ગાંઠ બાંધવી એમ ર૧ દિન ૧-૧ માળા ગણી ૧-૧ ગાંઠ બાંધી દોરો સાથે રાખવો. સર્વ કાર્ય અચૂક
સિદ્ધ  થાય. આ મંત્ર ૧૪ પૂર્વનો સાર છે. સત્યમ્ ા
૧૦૮નવકાર, સંપૂર્ણ હાથમાં નંદાવર્ત દ્વારા ગણવાથી મહાન લાભ થાય છે.
ૐ હ્રીં શ્રીં અહ્રઁ સિસા.  નમઃ
૧૦૮વારગણવો. આ મંત્ર આનંદદાયક અને સર્વ કાર્ય ની સિદ્ધ કરવા વાળો છે.
જ્ઞાનપ્રાપ્તિમંત્રઃ  ૐ નમોઅરિહંતાણં વદવદ વાગ્વાદિની સ્વાહા (પ્રતિદિન૧ માળા)
સ્વાસ્થ્યમંત્રઃ       ૐ હ્રીઁ નમો લોએ સવ્વસાહૂણં  (પ્રતિદિન ૧ માળા)
તનાવમુક્તિમંત્રઃ  ૐ હ્રીં શ્રીં ભગવતે પાર્શ્વનાથાય હર હર સ્વાહા (પ્રતિદિન ૧ માળા)
ભયમુક્તિમંત્રઃ     નમો અભય દયાણં (પ્રતિદિન ૧ માળા)
ક્રોધઆવેશમુક્તિમંત્રઃ  ૐ શાન્તે પ્રશાન્તે સર્વ ક્રોધોપશમની સ્વાહા (પ્રતિદિન ૧ માળા)
રિદ્ધિ-સિદ્ધિવર્ધકમંત્રઃ  ૐ હ્રીં શ્રીં ક્લીં બ્લૂઁ અર્હમ્ નમઃ(સૂર્યોદય સમયે ૧ માળા)
બ્રહ્મચર્યવિકાસમંત્ર  દેવ દાનવ ગંધવ્વા જક્ખ રક્ખસ કિન્નરા બંભયારી નમંસંતિ દુક્કરં જેકરંતિનમઃ |
સુખ-શાંતિમંત્રઃ   ૐ હ્રીં શ્રીં અ સિ આ ઉ સા સર્વ વિઘ્ન રોગોપદ્રવ વિનાશાય મમ ગ્રહશાંતિ કુરુ કુરુ સ્વાહા 
 ૐ હ્રીં શ્રીં અર્હમ્ નમઃઆમૃત્યુંજયજાપછે. સમાધિઅનેસદગતિઆપેછે.
દરેક  મંત્ર ગણતા પહેલાં આવાક્ય બોલી મંત્ર ગણવાની શરૂઆત  કરો.
(શ્રી તિર્થંકર ગણધર પ્રસાદાત્ એષઃ યોગઃ ફલતુ)
ઉવસ્સગ્ગહરં સ્ત્રોત્ર- નમિઉણ ને ભક્તામર આ ત્રણે સ્ત્રોત્રના મહાન લાભદાયી ચમત્કારીમંત્રઃ-
હ્રીં શ્રીં અર્હમ્ નમિઉણ પાસ વિસહર વસહ જિણ- ફુલિંગ ૐ હ્રીં શ્રીં અર્હમ્ નમઃ ા
શુભાશુભજાણવાનોમંત્રઃૐ હ્રીં અર્હમ્ ક્ષ્વીં સ્વાહા ા
કોઈપણ કાર્યમાં લાભ-હાનિ, નફો-નુકસાન જાણવા માટે રાત્રે કપાળે ચંદનનું વિલેપન કરી તે સુકાઈ       જાય
ત્યારે   ૧૦૮ વાર આ  મંત્રનો જાપ કરી અરિહંત ભ.ને નમસ્કારમંત્ર નું સ્મરણ કરતા ભૂમિશયન       ગરમ
કામળી કે શેત્રંજી પર સૂઈ જવાથી સ્વપ્ન માં ધારેલા કામ ના ફળની ખબર પડશે.
શ્રી સરસ્વતી દેવી મહામંત્રઃૐ હ્રીં કલીં બ્લીં શ્રીં લ  હ્રીં અૈં નમઃ ૧૦૮વાર મંત્રનોજાપ.

૧૦. પદ્માવતીદેવીનામંત્રઃૐ હ્રીં અૈં કલીં હ્રીં મહાલક્ષ્મી પદ્માવત્યૈ નમઃ ા
       સવાર ના મંગલ પ્રભાતે સર્વતઃશુદ્ધિ કરીને ત્રિકાળ ૧માળા ગણો. પરિણામે ૮૧ દિવસ
         પછી લક્ષ્મીની વૃદ્ધી થતી જોઈ શકાશે.
૧૧. ૐ હ્રીં અૈં ક્લીં સર્વ રોગ નિવારિણી શ્રી પદ્માવતી દૈવ્યૈ નમઃ
કોઈ પણ રોગ શોક-આપત્તિ માંથી ઉગરવા માટે હંમેશા ૩ માળા ગણો.
૧ર. ૐ પદ્માવતિ પદ્મનેત્રે, લક્ષ્મીદાયિનિ, વાંછાપૂરણી ઋદ્ધિં સિદ્ધિં જયં જયં કુરુ કુરુ સ્વાહા ા
આ મંત્ર નો પૂર્વાભિમુખ રક્તાસને રક્ત માળા થી ર૧ દિવસ રોજ ૧૦૦૦ જપ કરવાથી લક્ષ્મીની વૃદ્ધિ થાય .
ધારેલા કામ પાર પડે. કોર્ટ કચેરી માં જય મળે. ધંધા માટે ઘડેલી યોજના એક યા બીજા કારણે તૂટી જતી
હોય તો પણ આમંત્રનો ઉપર્યુક્ત વિધિ થી જાપ કરવો. ભગવતી તથા યંત્રનું પૂજન કમળ કે કરેણ ના પુષ્પો
થી કરવું .  જો બેંક માંથી લોન મેળવવા પ્રયાસ થતો હોય તો તેની સફળતા માટે પણ આ જાપ ઉપયોગી છે.
દેવાદાર ની સ્થિતિ ટાળવા માટે આ જાપ કરવા જેવો છે.
૧૩. ૐ હ્રીં એં ક્લીં સર્વ સૌભાગ્ય દાયિનિ શ્રી પદ્માવતી દૈવ્યૈ નમઃ ા
આ મંત્ર નો પૂર્વાભિમુખ રક્તાસને રક્તમાળા થી ૪ર દિવસ ૧૦૦૦ જાપ કરવાથી કન્યા માટે ઈષ્ટ વર .ને
વર માટે ઈષ્ટ કન્યાની વધુમાં વધુ ૬માસ માંપ્રાપ્તિ થાય છે. ભગવતી તથા યંત્રનું પૂજન. જાસુદ પૂષ્પથી
કરવું   સ્ત્રી-પુરુષો  નાતૂટેલા સંબંધો સાંધવા માટે પણ આ મંત્ર ઉપયોગી છે.
૧૪. ૐ ભ્રાઁ ભ્રીં ભ્રૂઁ ભ્રઃ પદ્મે પદ્માવતિઃ ા
આ મંત્ર નું રટણ કરવા થી સંકટના સમય માં સર્વ રીતે રક્ષણ મળે છે.
૧પ. ભક્તામર સ્તોત્ર ની ૬ઠ્ઠી ગાથા નો મંત્રઃઋદ્ધિઃૐ હ્રીં અર્હં નમો કુટ્ટ બુદ્ધિણં ૐ હ્રીં શ્રાઁ શ્રીં શ્રૂઁ શ્રઃ
હું સં યઃ યઃઠઃ ઠઃ સરસ્વતી ભગવતી વિદ્યા પ્રસાદં કુરૂ કુરૂ સ્વાહા|
વિધિઃ  છઠ્ઠીગાથા ઋદ્ધિ તથામંત્રનો પાઠ કરવાથી તેમજ યંત્ર પાસે રાખવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
વિસ્મરણ થતું નથી વાણી થી શુદ્ધિ થાય છે. મૂર્ખતાદૂરથાય. જીભ તોતડાતી હોય તો છૂટી થાય. જો આ યંત્ર
રૂપાના પતરા પર કોતરાવી તેનું પૂજન કરવામાંઆવે તો છ માસમાં સરસ્વતી માતા વરદાન આપે છે.
ભ.ની૧૧મીગાથાઃઋદ્ધિઃૐ હ્રીં અહઁ નમો પત્તેય બુદ્ધીણં
મંત્રઃૐ હ્રીં શ્રીં ક્લીં શ્રાઁ શ્રીં કુમતિ નિવારિણ્યૈ મહામાયાયૈ નમઃ સ્વાહા
વિધિઃ૧૧મી ગાથા ઋદ્ધિ તથા મંત્ર ર૧ દિવસ સુધી લાલ માળા વડે જપવાથી યંત્ર પાસે રાખવાથી વસ્તુ
તથા ખોવાયેલ મનુષ્ય દાસ-દાસી પણ પાછા આવે છે. ચારે દિશા માં તેનો ૧૦૮ જાપ કરવાથી અને ઈન્દ્ર
ધ્વજ શણગારી જલયાત્રા કરવામાં આવે એ વખતે ગીત-નૃત્ય તથા પંચામૃતની જલધારા દઈ અમારિપડહ
વગડાવી બલિ-બાકુલા ઉછાળી નગરના દેવી-દેવતા ને પૂજી અટ્ટમની તપશ્ચર્યા કરી ૧ર,૦૦૦ સરસવના
દાણા પર મંત્ર ગણી તેને ઉછાળવામાં આવે તો જરૂર વરસાદ આવે છે.
ભ.ની૧૪મીગાથાઃઋદ્ધિઃહ્રીંઅર્હંનમોવિઉલમઈણં|
મંત્ર ૐ નમો ભગવત્યૈ ગુણવત્યૈ મહામાનસ્યૈ સ્વાહા|
વિધિઃ ૧૪મી ગાથા ઋદ્ધિ ને મંત્રનું સ્મરણ કરવાથી તથા યંત્ર ને મસ્તક, ભૂજા કે હૃદય પર ધારણ કરવાથી
સરસ્વતી  પ્રસન્ન થાય છે . વળી  પવિત્ર થઈ શ્વેત વસ્ત્ર ને શ્વેત માળા થી ધૂપ-દીપપૂર્વક ત્રણ કાળ ૧૦૮ વાર
જાપ કરી. ઘી, ગૂગળ, કસ્તુરી, કેશર, કપૂર, સુખડ, રતાંજલી અગરશિલારસ ની ગુટિકા બનાવી હોમ કરવાથી
તેમ જ ત્રણેય કાળ સરસ્વતીદેવીર્ની સુગંધી દ્રવ્યો થી પૂજા કરવાથી મહામૂર્ખ પણ વિદ્વાન થાય છે. લક્ષ્મી ની
વૃદ્ધિ અને શત્રુનો ભય ટળે છે.    હેતુ> સ્મરણશક્તિ  તીવ્ર બને.

ભ.નીર૦મીગાથાઃઋદ્ધિઃ- હ્રીંઅર્હંનમોચારણાણં|
મંત્રઃૐ શ્રાઁ શ્રીં શ્રૂઁ શ્રઃ શત્રુભય નિવારણાય ઠઃ ઠઃ નમઃ સ્વાહા |
વિધિઃ  ર૦ મી ગાથા ઋદ્ધિ તથા મંત્રનો જપ કરવાથી યંત્ર સ્ત્રીના કંઠે બાંધવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ
સંપત્તિ સૌભાગ્ય બુદ્ધિ ને વિજય મળે છે. વિધિપૂર્વક પવિત્ર થઈને રૂપા ના પતરા પર અષ્ટગંધ થી યંત્ર
લખી તેની સ્થાપના કરી પૂર્વાભિમુખ બેસી રૂપાની નવકારવાળી ગણવી તેમ જ સુગંધી ૧૦૮ પુષ્પોનો હાર
બનાવ તેના વડે યંત્ર ની પૂજા કરી ચડાવવો પછી- પંચામૃત થી  તેનું  પ્રક્ષાલન કરીને  રૂપાની
વાટકીમાં ગ્રહણ કરી સ્નાનાંતરે  સ્ત્રીને પીવડાવવું આ પ્રકારે ઋણઋતુ સમયે પીવડાવવાથી અવશ્ય પુત્ર ની
પ્રાપ્તી થાય છે.   (હેતુઃપુત્રપ્રાપ્તિથાય)
શ્રીમાણીભદ્રવીરનામંત્રો
ૐ અ સિ આ ઉ  સા નમઃ શ્રી માણિભદ્ર  દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિમ્|
ૐ નમો ભગવતે માણિભદ્રાય ક્ષેત્રપાલાય કૃષ્ણ રૂપાય ચતુર્ભુજાય જિનશાસન ભક્તાય, નવનાગ સહસ્ત્ર
બલાય, કિંનર કિંપુરુષ, ગંધર્વ યક્ષ રાક્ષસ ભૂત-પ્રેત પિશાચ સર્વ શાકિની નિગ્રહં કુરુ કુરુ સ્વાહા મામ્ રક્ષ રક્ષ
સ્વાહા ા
ૐ હ્રીં શ્રીં કલીં ક્ષીં માણિભદ્ર વીરાય હસ્તિ વાહનાય, ક્ષેત્રપાલાય વિંશતી સહસ્ત્ર દેવ સહિતાય સર્વ જીવ
હિતાય જલં દીપં અક્ષતં ફલં નૈવેદ્યં યજામહે સ્વાહા.
વિધિઃઆમંત્ર ની સાધના રવિ, મંગળ કે ગુરુ એ સુદ પક્ષ માં ૧લો રવિ કે મંગળ તેમ જ સુદપક્ષ ની પ-૮-૧૪
તિથિ હોય.  ત્યારે પ્રારંભ કરી એમ ર૧ રવિ, મંગળ કે ગુરુ કરવા તે દિવસે ર૧ માળા ગણવી અને વચ્ચે ના
દિવસો માં ૧-૧માળાગણવી. તે દિવસે દેરાસર માં સ્નાત્ર-પૂજા આંગી વગેરે કરવું કરાવવું.

1 comment: