Tuesday, June 30, 2015

તમારી શ્રીમંત બનવાની ઈચ્છાને પૂર્ણ કરશે આ પૂજન


 
                                                                                                                                                    વ્યવસાયિક ક્ષેત્રોમાં દિવસે બેગુણી અને રાત્રે ચારગણી સફળતા મેળવવામાં દેવી લક્ષ્મીની પૂજા વિશેષ લાભકારી છે. જે લોકો શ્રીમંત બનવા માંગે છે તેઓ આ રીતે પૂજન કરે. 

 
પ્રદોષકાળના સમયે સ્નાન કરી ઘરની પશ્ચિમ દિશામાં એક ચૌકી પર લાલ કપડું પાથરીને તેના પર કેસર મેળવેલ ચંદનથી અષ્ટદળ બનાવીને તેના પર ચોખા મુકી જળ કળશ મુકે(પાણી ભરેલ લોટો).  કળશની પાસે હળદરથી કમળ બનાવીને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મીની મૂર્તિ સામે શ્રીયંત્ર પણ મુકો. કમળના ફૂલથી પૂજન કરો. આ ઉપરાંત સોના-ચાંદીના સિક્કા મીઠાઈ, ફળ પણ મુકો. ત્યારબાદ માતા લક્ષ્મીના આઠ રૂપોની આ મંત્રો સાથે કંકુ, અક્ષત અએન ફૂલ ચઢાવતા પૂજા કરો. ત્યારબાદ ધૂપ અને ઘી ના દિવાથી પૂજા કરી નૈવૈદ્ય કે ભોગ ચઢાવો. મહાલક્ષ્મીજીની આરતી કરો. 
 
 
यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः।
 
सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे॥
 
 
મંત્રનો અર્થ - હે મહાદેવી લક્ષ્મી જે ભક્ત તમારા નયન કટાક્ષોની વિધિપૂર્વક પૂજા કરે છે તેને ધન-ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના હ્રદયમાં નિવાસ કરનારી હે લક્ષ્મી હુ મારા શબ્દો અને કર્મો સહિત તમને દંડવત પ્રણામ કરુ છુ. 
 
કનકધારા સ્તોત્રનો આ મંત્ર પરમપૂજ્ય શંકરાચાર્યની કૃતિ છે.

Saturday, June 27, 2015

તંત્ર-મંત્ર : ઘરને ખરાબ નજરથી બચાવતો મંત્ર


ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરો.

ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્ર છાંટો. ગૌ મૂત્રને પવિત્ર પદાર્શ માનવામાં આવે છે અને તેમા વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓન સમાત્પ કરવાની શક્તિ હોય છે.

જો તમને શંકા હોય કે કોઈએ તમારા પર કોઈ ટોટકો કર્યો છે તો પણ ગૌ મૂત્ર સર્વશ્રેષ્ઠ ઈલાજ છે. તમારા શરીર પર ગૌ મૂત્ર છાંટો.


રોજ થોડુ થોડુ ગૌ મૂત્ર પીવાથી પણ ફાયદો થાય છે.

માત્ર આ બે સરળ ઉપાયોથી બધા પ્રકારના ટોટકાઓ અને ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચી શકાય છે.

તમારા ઘરને ખરાબ દ્રષ્ટિથી બચાવે છે આ મંત્ર

ઘરને નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં ભગવાનના મંદિરમાં મુકો. આ મંત્રની સાથે ક નારિયળ અને સોપારી મુકો.

।। नमस्‍ते रूद्ररूपाय करिरूपाय ते नम:।।

Friday, June 26, 2015

ઘરમા ન રાખવી જોઈએ આ 7 તૂટેલી વસ્તુઓ.. તેનાથી દરિદ્રતા આવે છે


vastu

ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે.. આ માટે જૂના સમયથી જ અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ જુદી-જુદી વસ્તુઓ અને કાર્યોથી જોડી છે. બધાના ઘરમાં કશુને કશુ વસ્તુઓ ટૂટી-ફ્રૂટી થાય છે. બેકાર હોય છે.  પછી પણ કોઈ ખૂણામાં પડી રહે છે.   7 વસ્તુઓ એવી બતાવાર રહી છે જે ટૂટી-ફૂટી અવસ્થામાં ઘરમાં ન મુકવા જોઈએ. જો આ વસ્તુઓ ઘરમાં હોય છે તો તેમની નકારાત્મક અસર પરિવારના બધા સભ્યો પર થાય છે.   જેનાથી માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં ગતિ નથી બની શકતી. આ કારણે ધન સંબંધી કાર્યોમાં પણ અસફળતાના યોગ બને છે. ઘરમાં દરિદ્રતાનું આગમન થઈ શકે છે. અહી જાણો આ 7 વાતો કંઈ કંઈ વસ્તુઓ છે. 
 
1. વાસણ - અનેક લોકો ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો પણ રાખે છે જે અશુભ પ્રભાવ આપે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ. જો આવા વાસણો ઘરમાં મુકવામાં આવે છે તો તેનાથી મહાલક્ષ્મી અપ્રસન્ન થાય છે અને દરિદ્રતાનો પ્રવેશ આપણા ઘરમાં હોઈ શકે છે. તૂટેલા-ફૂટેલા અને બેકાર વાસણો ઘરમાં સ્થાન પણ ઘેરે છે. તેનાથી વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નકારાત્મક ફળ મળવા લાગે છે. 
 
અરીસો - તૂટેલો અરીસો મુકવો વાસ્તુ મુજબ એક મોટો દોષ છે. આ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 
 
પલંગ - વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો બિલકુલ ન હોય. જો પલંગ ઠીક નહી હોય તો પતિ-પત્નીના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે. 
 
ઘડિયાળ - ખરાબ ઘડિયાળ ઘરમાં ન મુકવી જોઈએ. એવુ કહેવાય છે કે ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની ઉન્નતિ નક્કી થાય છે. જો ઘડિયાળ યોગ્ય નહી  હોય તો પરિવારના સભ્ય કાર્ય પુર્ણ કરવામાં અવરોધોનો સામનો કરશે અને કામ નક્કી સમયમાં પુર્ણ નહી થઈ શકે. 
 
તસ્વીર - જો ઘરમં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. વાસ્તુ મુજબ આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.  
 
દરવાજો - જો ઘરનો મુખ્ય દરવાજો કે અન્ય કોઈ દરવાજો ક્યાકથી તૂટી રહ્યો હોય તો તેને તરત જ ઠીક કરાવી લેવો જોઈએ. દરવાજામાં ટૂટ-ફૂટ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. 
 
ફર્નીચર - ઘરનુ ફર્નીચર પણ એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ. વાસ્તુ મુજબ ફર્નીચરની ટૂટ-ફૂટની પણ ખરાબ અસર આપણા જીવન પર થાય છે. 
 
વાસ્તુ દોષ ઉત્પન્ન થતા ઘર-પરિવારના સભ્યોને આર્થિ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યા પૈસાની કમી કાયમ રહે છે. તેથી આ દોષોનું નિવારણ તરત જ કરી લેવુ જોઈએ.

Tuesday, June 23, 2015

ઘરમાં છિપાયેલી ખરાબ શક્તિઓને શોધી શોધીને ભગાડે છે મીઠુ

 
saltસનાતન સંસ્કૃતિના મહર્ષિયો મુજબ જે ઘરમાં આખુ મીઠુ બંધાયેલુ હોય છે એ ઘરમાં બરકત પણ ઉભી રહે છે. ભારતના અનેક રજયોમાં આજે પણ પરંપરા છે કે પોતાની પુત્રીના લગ્નના સમયે વિદાય કરતી વખતે પુત્રીને આખા મીઠાની થેલી જરૂર આપવામાં આવે છે. મીઠાનું આપણા દૈનિક જીવનમાં મહત્વપૂર્ણ સ્થાન છે. મીઠુ રહિત ભોજન  સારામાં સારા ભોજનને બેસ્વાદ બનાવી નાખે છે. મોટા વડીલોનું માનવુ છે કે ઘરમાં મીઠા દ્વારા જ બરકત આવે છે અને સુખ સમૃદ્ધિનો વાસ હોય છે. મીઠુ પડવુ સારુ નથી માનવામાં આવતુ. તેનાથી ઘરમાં અપશકુન થવાના સંકેત મળે છે. 
 
આખા મીઠામાં અનેક પ્રાકૃતિક ગુણ રહેલા હોય છે. જેનાથી ઘરમાં છુપાયેલી ખરાબ શક્તિઓને શોધી શોધીને ભગાડી દે છે.  
 
1. એક કાંચની વાડકીમાં આખુ મીઠુ (સમુદ્રી મીઠુ) ભરો અને આ વાડકીને બાથરૂમમાં મુકો. આ ઉપાયથી નકારત્મક ઉર્જા દૂર થઈ શકે છે. 
 
2. ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં પોતુ લગાવતી વખતે પાણીમાં થોડા આખુ મીઠુ (સમુદ્રી મીઠુ) મળવુ જોઈએ.  આ ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. વાતાવરણની પવિત્રતા વધે છે. 
 
3. બાથરૂમ  ભૂલ કરી પણ નાર્થઈસ્ટ(ઈશાન કોણ)માં ન હોય. હંમેશા દક્ષિણ-પશ્ચિમ, પશ્ચિમ-ઉત્તર  પશ્ચિમ ટોયલેટની સીટ પર પૂર્વ કે ઉત્તરની તરફ મોઢામાં કરીને બેસેલ, ટોયલેટમાં કાંચના બાઉલમાં ક્રિસ્ટલ સાલ્ટ (દરદરું મીઠુ) ભરીને મુકો. 15 દિવસ પછી બદલી નાખો. પહેલા ટોયલેટના સિંકમાં નાખી દો. જો કોઈ કારણ ટોયલેટ ઉત્તર-પૂર્વમાં હોય તો આના દરવાજા પર રોઅરિંગ લાયનના ફોટો પેસ્ટ કરી દો. 
 
4. ઘરમાં ઘનનો પ્રવાહ  કાયમ રાખવા માટે કાંચનો એક ગ્લાસ લઈને તેમા પાણી અને મીઠુ મિક્સ ઘરના નૈઋત્ય ખૂણામાં મુકી દો અને એની પાછળ લાલ રંગનો એક બલ્બ લગાવી દો. જ્યારે પણ પાણી સૂકાય તો એ ગ્લાસને સ્પષ્ટ કરીને બીજીવાર મીઠુ ભેળવેલુ  પાણી ભરી દો. 
 
મીઠામાં અદ્દભૂત શક્તિયો હોય છે જે બધા પ્રકારના નકારાત્મક પ્રભાવોને નષ્ટ કરી દે છે. આ ઉપરાંત તેનાથી ઘરમાં આવેલ દરિદ્રતા પણ દૂર થાય છે. અને મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. પરિવારના બધા સભ્યોના વિચાર સકારાત્મક થશે જેનાથી તેમનુ મન કામમાં લાગેલુ રહેશે.  અસફળતાઓનો દૌર સમાપ્ત  થઈ જશે અને સફળતાઓ મળવા લાગશે.

Friday, June 19, 2015

વાસ્તુ સલાહ : વાસ્તુશાસ્ત્ર દરેક દિશાને શુભ ગણે છે

દરેક દિશાને પોતાનો ગ્રહ છે અને આ ગ્રહની દશા, અંતર્દશા, પ્રત્યંતર દશા પ્રમાણે આપણને સારાં ખરાબ પરિણામ મળતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર દરેક દિશાને શુભ ગણે છે. તેમાં રહેવાવાળી વ્યક્તિને તે દિશા સારું પરિણામ આપતી હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય કોઈ ઘરનું સો ટકા વાસ્તુ મળતું નથી

ઘણા લોકોને પ્રશ્નો થતા હોય છે કે મારે કઈ દિશાથી વધારે લેણું છે અને મુખ્ય દરવાજાની દિશા શું હોવી જોઈએ? અમારો દરવાજો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નથી, આ ઘરમાં આવ્યા પછી ખૂબ જ તકલીફ થઈ છે, મારો ધંધો એકદમ બંધ થઈ ગયો, મારું બાળક ભણવામાં ધ્યાન નથી રાખતું. આવા ઘણા બધા પ્રશ્નો છે, તો આ બધા પ્રશ્નો પાછળ વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે છે. આજે આપણે નવું ઘર, ફેક્ટરી, ઓફિસ લેવા જઈએ ત્યારે મુખ્ય દરવાજાની દિશા જોઈએ છીએ. આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે પૂર્વ અને ઉત્તર દિશાનો દરવાજો આપણે શુભ ગણીએ છીએ. આ વાત બરાબર છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરેક દિશા શુભ છે. કોઈ દિશા અશુભ નથી. દરેક દિશાનું પોતાનું આગવું મહત્ત્વ છે.

એસ્ટ્રોવાસ્તુ પ્રમાણે જે વ્યક્તિના નામે મિલકત લેવાની હોય તેના જન્માક્ષર જોઈને તેની શુભ દિશા કઈ છે તે જાણી શકાય છે અથવા ઘરના દરેક સભ્યોના જન્માક્ષર જોઈ દરેક વ્યક્તિની શુભ દિશા શોધીને બધાને યોગ્ય ગ્રહ હોય તે પ્રમાણેનો દરવાજો પસંદ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિનો સૂર્ય બળવાન હોય તો તેને પૂર્વ દિશાથી ફાયદો મળે છે. ગુરુ ઉચ્ચનો કે સ્વગ્રહી હોય તો ઇશાન દિશાથી સફળતા પ્રાપ્ત થાય છે. જે જાતકનો બુધ સારો હોય તેને ઉત્તર દિશાથી લાભ મળે અને જે વ્યક્તિનો મંગળ સારો હોય તેને દક્ષિણ દિશા ફાયદો કરાવે છે. આવી રીતે દરેક ગ્રહ પ્રમાણેની દિશા મેળવી શકાય છે. જીવનમાં પોતાને કંઈક લાભ કે સુખ-સમૃદ્ધિ મળે તેવી દિશાથી ફાયદો લેવો જોઈએ. વાસ્તુશાસ્ત્રથી હંમેશાં ફાયદો થાય છે. દિશા અને દશા એકબીજાની પૂરક હોય છે. જો જન્માક્ષર પ્રમાણે દિશા શોધવામાં તકલીફ પડતી હોય તો જાતકે પોતાનો જે ધંધો હોય તે પ્રમાણેની દિશાને શુભ દિશા માનવી. દા.ત. લોખંડનો ધંધો હોય તો પશ્ચિમ, જ્વેલર્સ હોય તો અગ્નિ વગેરે. આ રીતે શુભ દિશા જાણી શકાય છે.

તંત્રવાસ્તુમાં પદ બતાવવામાં આવેલાં છે. આ પદ પ્રમાણે જો મુખ્ય દરવાજાની દિશા રાખવામાં આવે તો એ શુભ કહેવાય, પરંતુ આજના યુગ પ્રમાણે પદ પ્રમાણે મુખ્ય દરવાજો મળવો મુશ્કેલ છે. આજના બિલ્ડિંગ ઉદ્યોગમાં બિલ્ડરો મકાન ફક્ત વેચવા માટે બનાવે છે અને આપણે લેવા માટે. આ બનાવેલાં મકાનોમાં વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ સો ટકા શક્ય બનતો નથી. ગુજરાતમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બિલ્ડિંગ બહુ ઓછા બને છે. જ્યારે દક્ષિણ ભારતમાં હૈદરાબાદ, વિજયવાળા, કુતાગુડમ, કાગજનગર જેવાં મુખ્ય શહેરોમાં બિલ્ડિંગ અને મકાન વાસ્તુ આધારિત બને છે. માટે જ આ શહેરો ખૂબ જ સફળ છે. ગુજરાત પણ વાસ્તુની દૃષ્ટિએ શુભ ઊર્જા ધરાવે છે.

ભારતીય વાસ્તુમાં પદ પ્રમાણે શુભ દિશા જાણી શકાય છે. ત્યારે હાલમાં ચાઇનીઝ વાસ્તુ પ્રમાણે પણ દરેક વ્યક્તિની શુભ દિશા જાણી શકાય છે અને આ દિશા પ્રમાણે મુખ્ય દરવાજો રાખવામાં આવે તો શુભત્વ પ્રાપ્ત થાય છે. ગ્રહોના સંયોજન વગર ફેંગશૂઈ પ્રમાણે પણ શુભ દિશા જાણી શકાય છે.

દરેક દિશાને પોતાનો ગ્રહ છે અને આ ગ્રહની દશા, અંતર્દશા, પ્રત્યંતર દશા પ્રમાણે આપણને સારાં ખરાબ પરિણામ મળતાં હોય છે. વાસ્તુશાસ્ત્ર દરેક દિશાને શુભ ગણે છે. તેમાં રહેવાવાળી વ્યક્તિને તે દિશા સારું પરિણામ આપતી હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ક્યારેય કોઈ ઘરનું સો ટકા વાસ્તુ મળતું નથી. તમારા ગ્રહોને આધીન ઘર, ફેક્ટરી કે જગ્યા મળે છે, તેમાં કંઈક તો દોષ હોય જ છે.

વાસ્તુ એક ઊર્જાનો વિષય છે. વાસ્તુ એનર્જી દ્વારા આપણે મુખ્ય દરવાજાની આજુબાજુ કેવી ઊર્જા છે તે જાણી શકીએ છીએ. જો દરેક મકાનનો દરવાજો શુભ ન પણ હોય, પરંતુ વાસ્તુ એનર્જીના અમુક ટુલ્સ એટલે કે વસ્તુઓના ઉપયોગથી આ દરવાજાની એનર્જી બદલી સકારાત્મક પરિણામ મેળવી શકાય છે. એક માળમાં ચાર ફલેટ હોય છે. જેમાં ફક્ત એક જ ફ્લેટનો દરવાજો અથવા ફલેટ આપણને ૭૦ ટકા વાસ્તુ પ્રમાણે મળે છે. તો બાકીના દરવાજાનું શું? વાસ્તુ ઊર્જા એવું બતાવે છે કે દરેક દિશાના દરવાજાનું પોતાનું ઊર્જા ક્ષેત્ર છે. તે ઊર્જા ક્ષેત્રને તેના તત્ત્વ પ્રમાણે ઘરમાં ગોઠવવામાં આવે તો તેમાં રહેવાવાળા જાતકો જરૂરથી સુખી થાય છે.

Thursday, June 18, 2015

ઘરમાં આનંદદાયી વાતાવરણ માટે ધ્યાનમાં રાખવાની વાતો

મોટાભાગે દરેક ઘરમાં પૂજાસ્થાન હોય છે અને આ અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. ડ્રોઈન્ગ રૂમમાં ઈશાન ખૂણામાં ફિશ એક્વેરિયમ પણ મૂકી શકાય.

-ઘરના રસોડાને દક્ષિણ પૂર્વ ભાગ અગ્નિ ખૂણામાં બનાવવુ શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું સલાહભર્યું છે. અગ્નિ કે ઉત્તર-પશ્વિમ ખૂણે લાઈટના સ્વીચબોર્ડ, ટીવી વગેરે મૂકાય તેને શ્રેષ્ઠ મનાય છે.

-ઘરની બારેઓ અને બાલકની ઉત્તર પશ્ચિમ ખૂણામાં હોય તો તેને શુભ મનાય છે. આ ખૂણામાં ઈલેક્ટ્રીક ઉપકરણો જેવા કે પંખા, કૂલર મૂકવા જોઈએ.

-ઘરની ભારે અને વજનવાળી વસ્તુઓ નેઋત્ય ખૂણામાં મુકવી શુભ માનવામાં આવે છે.

- ઘરનું મુખ્ય કેન્દ્ર બ્રહ્મસ્થાન તરીકે ઓળખાય છે તેથી તે હંમેશા ખાલી રહેવુ જોઈએ. આ સ્થાન સ્વચ્છ અને હલકુ હોવુ જોઈએ.

-બાળકોના અભ્યાસ માટે ઈશાન દિશા શુભ હોય છે તેથી તેમનો રૂમ આ ખૂણામા બનાવવો જોઈએ.

-પતિ-પત્નીના બેડરૂમમાં જોડા વાળા પક્ષીઓનુ ચિત્ર મુકવુ શુભ માનવામાં આવે છે. ચિત્ર સકારાત્મક હોવુ જોઈએ અને તે સૂતેલાને દેખાય તેવુ હોવુ જોઈએ. આવા ચિત્રો પતિ-પત્ની વચ્ચે પ્રેમ જાળવી રાખે છે.

- ઘરના મુખ્ય દરવાજા પાસે શુભ ચિહ્નો મુકવા જોઈએ, જો તમને પ્લાંટથી ઘર સજાવવાનો શોખ હોય તો કાંટાવાળા છોડ ઘરની અંદર ક્યારેય ન લગાવશો. ગૃહ સજાવટમાં શસ્ત્રોનો પ્રયોગ પણ ન કરવો જોઈએ. ગૃહ સજાવટમાં રમકડાંનો ઉપયોગ કરવાથી ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહે છે.
-ઘરમાં ધૂળ, કચરો, કરોડિયાનાં જાળા નકારાત્મક ઉર્જા વધારે છે, તેથી ઘરના ઈન્ટીરીયર બાબતે સ્વચ્છતાનું પૂરેપૂરૂ ધ્યાન રાખવું જોઈએ અને ઘરનાં ખૂણાઓને વ્યવસ્થિત રીતે સ્વચ્છ રાખવા જોઈએ.

- ઘરને હંમેશા સાફ સુથરું અને સ્વચ્છ રાખવુ જોઈએ. ઘરમાં સ્વચ્છતા રહેવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. ઘરમાં સવાર સાંજ દીવો કરવાથી ઘરમાં ટેંશન કે ચિંતા રહેતા નથી.

Wednesday, June 17, 2015

આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે

hanuman chalisa
 
જો તમે કોઈ લક્ષ્ય પુરુ કરવા માંગતા હોય તો
  'ऊं नमो हनुमन्ते भय भंजनाय सुखं कुरु कुरु फट् स्वाहा' આ તાંત્રિક મંત્રનો જાપ 160 દિવસો સુધી રોજ 1008 વાર બોલવાથી લક્ષ્ય પ્રાપ્ત થાય છે. જો .રોજ શક્ય ન હોય તો શનિવાર કે મંગળવારે ઓછામાં ઓછા 108 વાર બોલવાથી પણ મનચાહ્યા કામ પૂરા થાય છે.


જો આપ નોકરી મેળવવા માંગતા હોય કે તમારા જીવનનું કોઈ સંકટ દૂર કરવા માંગતા હોય તો હનુમાનજીને દર શનિવારે તેલ અને સિંદૂર ચઢાવો. ચઢાવેલ થોડુ સિંદૂર પોતાના માથા ઉપર લગાવવાની સાથે જ ઘરના દેવઘર કે મંદિરના દ્વારની આસપાસ શ્રીરામ લખો કે સ્વસ્તિક બનાવો. આ સંકટમોચક કરનારો ઉપાય માનવામાં આવે છે.

હિન્દુ ધર્મ માન્યતાઓમાં હનુમાનજીને રુદ્ર અવતાર, રામદૂર હોવાની સાથે જ અજર-અમર દેવતા પણ માનવામાં આવે છે. એટલા માટે જ એવું માનવામાં આવે છે કે કળયુગમાં પણ તેઓ ભક્તોની આસપાસ જ મોજુદ હોય છે અને કોઈપણ રૂપમાં કરવામાં આવેલ ભક્તિનું શુભ ફળ ઝડપથી આપે છે