Friday, July 15, 2022

શિવ પુરાણ - શિવ મહિમા

શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે.   શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન-પૂજન માની લેવાય છે.   આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ), ઉમા, લક્ષ્મી, શચિ ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે! 

 
 
  શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાસ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી.   શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને "ષોડશોપચાર" કહેવામાં આવે છે.   શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છે: (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરુ લિંગ 
 
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવના દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. હત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્‍પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્‍યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્‍યવસ્‍થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. બધાના સ્‍વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. 
 
શ્રી શિવ મહાપુરાણ સ્‍વયં ભગવાન શિવજીએ રચ્‍યું છે. તેનું સંક્ષિપ્‍ત સ્‍વરૂપ શ્રી વેદ વ્‍યાસજીએ આપ્‍યું છે. આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ, ૨૯૭ અધ્‍યાય અને ૨૪૦૦૦ શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. સમાજના મુખ્‍ય પ્રશ્નો જેવાકે,
 
* સદ વિચાર કેવી રીતે ઉદભવે ?
*  ભક્તિ કેવી રીતે મળે ? 
* શું કરવાથી વિવેક વધે ? 
*  જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઇએ ? 
*  પરમાત્‍મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય ? 
* પરમાત્‍મા કોણ છે ? પરમાત્‍માને કેવી રીતે મેળવી શકાય ? 
 
આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્‍યાં બધા તિર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કલ્‍યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્‍યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવ મહાપુરાણ કથા.

શ્રાવણ માસના કોઈ પણ શનિવારે કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો તમારુ ભાગ્ય



શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના વિશેષ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ માસના કોઈ પણ શનિવારે આ ઉપાય અને હનુમંત આરાધના કરવામાં આવે તો જરૂરથી ફાયદો થાય છે. આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવેલ હનુમાન સાધના રોગ, શોક અને દુખોને મટાડીને વિશિષ્ટ ફળ આપે છે. 


તો  રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો પોતાનુ ભાગ્ય :

મેષ રાશિ - એકમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર બુંદી ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો
વૃષ રાશિ - રામચરિતમાનસના સુંદર-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મીઠો રોટ ચઢાવીને વાંદરાઓને ખવડાવો.
મિથુન રાશિ - રામચરિતમાનસના અરણ્ય-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર પાન ચઢાવીને ગાયને ખવડાવો.
કર્ક રાશિ - પંચમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર પીળા ફૂલ ચઢાવીને જળપ્રવાહ કરો.
સિંહ રાશિ - રામચરિતમાનસના બાલ-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળની રોટલી ચઢાવીને ભિખારીને ખવડાવો
કન્યા રાશિ - રામચરિતમાનસના લંકા-કાંડનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં શુદ્ધ ઘી ના 6 દીવા પ્રગટાવો.
તુલા રાશિ - રામચરિતમાનસના બાળ કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ખીર ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો
વૃશ્ચિક રાશિ  - હનુમાન અષ્ટકનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળવાળા ચોખા ચઢાવીને ગાયને ખવડાવો
ધનુ રાશિ - રામચરિતમાનસના અયોધ્યા કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મધ ચઢાવીને ખુદ પ્રસાદના રૂપમાં આરોગો. 
મકર રાશિ - રામચરિતમાનસના કિષ્કિન્ધા-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મસુર ચઢાવીને માછલીઓને ખવડાવો.
કુંભ રાશિ -  રામચરિતમાનસના ઉત્તર કાંડનો પાઠ કરે અને હનુમાનજી પર મીઠી રોટલીઓ ચઢાવીને ભેંસોને ખવડાવે
મીન રાશિ - હનુમંત બાહકનો પાઠ કરે અને હનુમાનજીના મંદિરમાં લાલ રંગની ધ્વજા કે પતાકા ચઢાવે.

શનિદેવને લોખંડ ચઢાવવાથી મળે છે સોનુ, જાણો કેવી રીતે ..



 
શનિદેવને લોખંડ સૌથી વધુ પ્રિય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ પૃથ્વીના ગર્ભમાં સૌથી વધુ રૂપમાં લોખંડ જ સમાયુ છે. લોખંડ જ છે જે તપીને પોલાદ બને છે. વાસ્તવિકતામાં શનિ અને મંગળ વચ્ચે લોખંડ જ એ કનેક્શન છે જેને આ બે ગ્રહ એક બીજા સાથે જોડાયેલા છે. શનિદેવને મંગળની વસ્તુઓ ચઢાવવાથી બળ મળે છે. કેટલા વિશેષ પ્રસંગો પર લોખંડ ચઢાવવાથી કળયુગના ક્રોધિત દેવતાનું મન પીઘળી જાય છે. આ વિશેષ યોગમાં થોડુક લોખંડ પારસ પત્થર બની જાય છે.  આ વિશેષ યોગમાં શનિદેવ પર વિધિ-વિધાનથી લોખંડ ચઢાવવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. 
 
પૌરાણિક મતમુજબ અને માન્યતાનુસાર સૂર્યપુત્ર શનિદેવને દેવગુરૂ બૃહસ્પતિ પાસેથી આ વરદાન પ્રાપ્ત છે કે જ્યારે પણ શનિવારના દિવસે બૃહસ્પતિના નક્ષત્ર વિશાખામાં આવે છે એ દિવસે શનિદેવ પર લોખંડ ચઢાવવાથી વ્યક્તિને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતામુજબ શ્રાવણ માસમાં શનિવારના દિવસે ગુરૂનો નક્ષત્ર વિશાખા આવતા જો સપ્તમી તિથિ પડે છે તો સુયશ નામનો યોગ બને છે. આ યોગને લોખંડ દિવસના નામથી પણ ઓળખવામાં આવે છે. 
 
માન્યતામુજબ કળયુગમાં શનિદેવનો વાસ લોખંડમાં હોય છે. આવામાં શનિદેવને ચઢાવાતુ લોખંડ સુવર્ણના રૂપમાં ફરીથી પ્રાપ્ત થાય છે.  આવુ જ એક દાન પૌરાણિક કાળમાં શ્રીરામના પિતા રાજા દશરથે પણ કર્યુ હતુ. રાજા દશરથ દ્વારા નિર્મિત શનિદેવ ખુદ રાજા દશરથને આ વાત આ શ્લોકના રૂપમાં કહે છે. 
 
श्लोक: (शनिरुवाच) शमीपत्रैः समभ्यर्च्य प्रतिमां लोहजां मम । माषौदनं तिलैर्मिश्रं दद्याल्लोहं तु दक्षिणाम् ॥४९॥
 
લોખંડ દિવસના રૂપમાં આવો જ સુંદર યોગ આગામી શ્રાવણ માસના શનિવાર તારીખ 22.08.15ના રોજ આવી રહ્યો છે. આ તારીખે શનિવાર છે, બૃહસ્પતિનો નક્ષત્ર વિશાખા છે અને સપ્તમી તિથિ પણ છે.

Saturday, July 25, 2015

બારણા પર સિદૂર લગાડવાના ફાયદા

 
તમે જોયું હશે કે ઘણા લોકો પ્પોતાના બારણા પર સરસવના તેલ અને સિંદૂર ના તિલક લગાવી રાખે છે. ખાસ કરીને દીવાળીના દિવસે તો જરૂર જ તેલ અને સિંદોર લગાવે છે . શું તમે જાણો છો એના પાછળના કારણ શું છે. 
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશ નહી થાય છે . આ ઘરમાં રહેલી વાસ્તુદોષને પણ દૂર કરવામાં કાગર માન્યું છે. 
 
વાસ્તુ વિશેષજ્ઞ મુજબ બારણા પર સિંદૂર લગાડવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે. જ્યારે સરસવના તેલ શનિના પ્રતિનિધિ ગણાય છે જે ખરાબ નજરથી રક્ષા કરે છે. 
 
જ્યારે વિશેષજ્ઞ બારણા પર તેલ લગાડવાથી બારણા લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

Saturday, July 18, 2015

ગાયત્રીની સાથે આત્મ-સંબંધ બાંધનાર મનુષ્યમાં નિરંતર એક એવો સૂક્ષ્મ અને ચેતન વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે.


ગાયત્રી એક એવી દૈવી શક્તિ છે જેની સાથે સંબંધ સ્થાપીને મનુષ્ય પોતાના જીવન વિકાસમાં ખૂબ મદદ મેળવી શકે છે. પરમાત્માની અનેક શક્તિઓ છે. બધી શક્તિઓનાં કાર્યો અને ગુણો જુદા જુદા છે, તમામ શક્તિઓમાં ગાયત્રીનું સ્થાન ખૂબ ઊંચું છે. ગાયત્રી શક્તિ મનુષ્યમાં સદ્બુદ્ધિ પ્રેરે છે. ગાયત્રીની સાથે આત્મ-સંબંધ બાંધનાર મનુષ્યમાં નિરંતર એક એવો સૂક્ષ્મ અને ચેતન વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે.
બ્રહ્માજીએ ચાર વેદોની રચના કરતાં પહેલાં ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રની રચના કરી. ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરો એવું બીજ છે જે પ્રસ્ફુરિત થઈને વેદોના મહા વિસ્તારના રૃપમાં પ્રગટ થયું છે.
ગાયત્રી મંત્ર સર્વોપરી મંત્ર છે. એનાથી કોઈ મોટો મંત્ર નથી. જે કામ દુનિયાના બીજા કોઈ મંત્રથી થતું નથી તે નિશ્ચિત રૃપે ગાયત્રી મંત્રથી થઈ શકે છે. ગાયત્રી પ્રચંડ શક્તિ છે, તે જે કોઈ કામમાં વપરાય ત્યાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ગાયત્રી મંત્રના અર્થ પર મનન અને ચિંતન કરવાથી અંતઃકરણમાં એવાં તત્ત્વોની વૃદ્ધિ થાય છે જે મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે. ભાવો બહુ શક્તિદાયક, ઉત્સાહપ્રદ, સતગુણી અને આત્મબળ વધારનારા છે.
વેદમાતા ગાયત્રીના મહિનાનું વર્ણન વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે બધા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં ગાયત્રીની સ્તુતિ કરતા કહેવામાં આવ્યું છેઃ
સ્તુતા નયા વરદા વેદમાતા પ્રચોદયન્તા પાવમાની દ્વિજાનામ
આયુઃ પ્રાણં પ્રજાં પશું ર્કીિત દ્રવિણં બ્રહ્મ વર્ચસમ્ ાા અથર્વવેદ - ૧૯-૧૭-૧૦
(મારા દ્વારા સ્તુતિ કરવામાં આવેલી, દ્વિજોને પવિત્ર કરનાર વેદમાતા તેમને આયુષ્ય, પ્રાણશક્તિ, પશુ, ર્કીિત, ધન તેમજ બ્રહ્મતેજ પ્રદાન કરે છે)
ગાયત્રી શક્તિના મોટા લાભોના મૂળમાં એવા કયા કારણો હશે જેથી આપણને આટલી બધી નવાઈ લાગે છે. બાબતનું સંપૂર્ણ જ્ઞાાન પ્રાપ્ત કરવું તો મનુષ્ય માટે ઘણું મુશ્કેલ છે પરંતુ ગાયત્રીની પાછળ અનેક મનસ્વી સાધકોનું ઝગમગતું સાધનાબળ કામ કરી રહ્યું છે. સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માથી માંડીને આધુનિક સમય સુધી સર્વ ઋષિ-મુનિઓએ, સાધુ-મહાત્માઓએ તેમજ શ્રેય માર્ગના પથિકોએ ગાયત્રી મંત્રનો આશ્રય લીધો છે. બધા ઋષિ-મુનિઓએ જેટલા સાધના,જપ,અનુષ્ઠાન વગેરે ગાયત્રી મંત્રના કર્યા છે તેટલા અન્ય કોઈ મંત્રાદિના કર્યા નથી. તેમણે પોતાની અત્યંત ઉચ્ચ ભાવનાઓને અધિકાધિક એકાગ્રતા અને તન્મયતાપૂર્વક ગાયત્રી મંત્રમાં લગાડી છે.
શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રનો મહિમા વર્ણવતા પ્રમાણ આપવામાં આવેલ છે. ગંગા, ગીતા, ગાય અને ગાયત્રી આર્યધર્મના આધારસ્તંભ છે. ભારતીય ધર્મનો દરેક અનુયાયી ચારેયને માતા જેટલું માન આપે છે. આર્યધર્મના બધા અનુયાયીઓ એક માતાના સંતાન હોય તે રીતે પરસ્પર એકતાનો અનુભવ કરે છે.
ગાયત્રીને આધ્યાત્મિક ત્રિવેણી કહેવામાં આવે છે. ગંગા અને યમુનાના સંગમથી એક અદૃશ્ય, સૂક્ષ્મ અને અલૌકિક દિવ્ય નદીનો આવિર્ભાવ થાય છે. જેને આપણે સરસ્વતી કહીએ છીએ. ગંગા, યમુના અને સરસ્વી ત્રણેય નદીઓના પવિત્ર સંગમને આપણે ત્રિવેણી કહીએ છીએ. ત્રિવેણી હોવાને કારણે પ્રયાગને તીર્થરાજ કહે છે. સર્વ તીર્થોનો રાજા ગણાય છે. રીતે આધ્યાત્મિક જગતની ત્રિવેણી તે ગાયત્રી છે. ત્રયી શક્તિમાં અનેક ત્રિકમો ગૂંથાયેલ છે. () સત્, ચિત્ત, આનંદ () સત્ય, શિવ, સુંદર () સત, રજ, તમ્ () ઈશ્વર, જીવ, પ્રકૃતિ () ત્રડક, યજુ, સામ () બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય () ગુણ, કર્મ, સ્વભાવ () શૈશવ, યૌવન, વૃદ્ધાવસ્થા () બ્રહ્મા, વિષ્ણુ, મહેશ (૧૦) ઉત્પત્તિ, વૃદ્ધિ, લય (૧૧) ઠંડી,ગરમી, વર્ષા (૧૨) ધર્મ, અર્થ, કામ (૧૩) આકાશ, પાતાળ, પૃથ્વી (૧૪) દેવ, મનુષ્ય, અસુર વગેરે અસંખ્ય ત્રિકમો ગાયત્રી છંદના ગર્ભમાં સંપુટિત કરેલા છે. ભૌતિક જગતની ત્રિવેણીમાં સ્નાન કર્યાથી મળતા પુણ્યની જેમ આધ્યાત્મિક પુણ્યલાભ મળે છે. ત્રણ અક્ષરોમાં અનેક પ્રકારોની ત્રણ - ત્રણ સમસ્યાઓ મનુષ્ય સમક્ષ મૂકવામાં આવી છે. તેમાં યોગ્ય રીતે ઊંડા ઉતરીને જીવનમુક્તિનું શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે.  ગાયત્રીના ત્રિવેણી પ્રવાહમાં ડૂબકી મારીને સ્નાન કરવાથી ભય દૂર થઈ જાય છે. શાંતિદાયક શીતળતા મળે છે. ગાયત્રીમાં છુપાયેલી સમસ્યાઓનું ચિંતન, મનન અને અવગાહન કરવાથી એવા તત્ત્વદર્શનની પ્રાપ્તિ થાય છે જે મનુષ્યને સદ્માર્ગે વાળે છે અને શાશ્વત સુખના દ્વાર સુધી પહોંચાડવામાં મદદરૃપ થાય છે.
ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી - વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દૃષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દૃષ્ટિકોણને કારણે સ્વર્ગમાંથી નરક બનેલું છે. મનની ભ્રાંતિઓને દુૂર કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રના પાવરનો ઉપયોગ કરતા શીખી જાય છે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. ગાયત્રી ત્રિગુણાત્મક છે. એની ઉપાસનાથી જેમ સત્વગુણ વધે છે રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે.
રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ર્સ્ફૂિત, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદમાતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વ, ગુણ, વિવેક, સદ્ વિચાર અને સત્કાર્યો પ્રત્યે અસાધારણ રુચિ ઉત્પન્ન થાય છે. તે આત્મજાગૃત્ત, લૌકિક અને પર લૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે.
ગાયત્રી મંત્રનું અર્થચિંતન
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ઓમ     :           બ્રહ્મ
ભૂઃ        :           પ્રાણસ્વરૃપ
ભુવઃ      :           દુઃખનાશક
સ્વઃ       :           સુખસ્વરૃપ
તત્        :          
સવિતુઃ   :           તેજસ્વી, પ્રકાશવાન
વરેણ્યઃ   :           શ્રેષ્ઠ
ભર્ગો      :           પાપનાશક
દેવસ્ય    :           દિવ્યતાને આપનાર
ધીમહી   :           ધારણ કરીએ છીએ
ધિયો      :           બુદ્ધિ
યો         :           જે
નઃ         :           અમારી
પ્રચોદયત્િ         :           પ્રેરિત કરો

Monday, July 13, 2015

ગુરૂવારે કરશો આ 5 ઉપાય તો દૂર થઈ શકે છે ગુરૂના દોષ


 
જો કુંડળીમાં ગુરૂ ગ્રહ (બૃહસ્પતિ) સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે વિશેષ પૂજન કરવામાં આવે છે. 
બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન અને ભાગ્યનો કારક ગ્રહ છે. અહી જાણો બૃહસ્પતિ ગ્રહની પૂજાના 5 ઉપાય. જેમાથી આ ગ્રહના દોષોને દૂર કરી શકાય છે.. 
 
1. ગુરૂવારે ગુરૂ ગ્રહના નિમિત્ત વ્રત રાખો. જેમા પીળા વસ્ત્ર પહેરો અને મીઠા વગરનું ભોજન કરો. ભોજનમાં પીળા રંગના ખાદ્ય પદાર્થ જેવા કે બેસનના લાડુ, પાકી કેરી, કેળા વગેરેનો સમાવેશ કરી શકાય છે.. 
2. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટોને પીળા વસ્ત્ર પર વિરાજીત કરો. ત્યારબાદ પંચોપચારથી પૂજા કરો. પૂજામાં કેસરિયા, ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને નૈવૈદ્યમાં પીલા પકવાન કે ફળ અર્પણ કરો. આરતી કરો. 
3. ગુરૂ મંત્રનો જાપ કરો - મંત્ર ૐ બૃં બૃહસ્પતે નમ: મંત્રના જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. 
4. ગુરૂ સાથે જોડાયેલ પીળી વસ્તુઓનુ દાન કરો. પીળી વસ્તુ જેવી કે સોનુ, હળદર, ચણાની દાળ, કેરી વગેરે. 
5. શિવજીને બેસનના લાડુનો ભોગ લગાવો. 
 
આ ઉપાયોથી ધન, સંપત્તિ, વિવાહ અને ભાગ્ય સંબંધી અવરોધો દૂર થઈ શકે છે.

Friday, July 10, 2015

શુક્રવારે કરો જ્યોતિષના આ નાના નાના ઉપાયો


 
કુંડળીમાં  શુક્ર ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને પૂર્ણ સુખ સુવિદ્યાઓ પ્રાપ્ત થતી નથી. સાથે જ વૈવાહિક જીવનમાં પણ
rashi puja
મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રના દોષો દૂર કરવા માટે શુક્રવારે વિશેષ ઉપાય કરી શકાય છે. શાસ્ત્રો મુજબ શુક્રવારે દેવી લક્ષ્મીના ઉપાયો પણ કરી શકાય છે. અહી જાણો નાના-નાના 5 ઉપાય 
 
1. દરે શુક્રવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પિત કરો. સાથે જ ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ. 
2. કોઈ ગરીબ વ્યક્તિને કે કોઈ મંદિરમાં દૂધનું દાન કરો. 
3. શુક્રવારે કોઈ વિવાહિત સ્ત્રીને સુહાગના સામાનનુ દાન કરો. સુહાગનો સામાન જેવી કે બંગડીઓ, કંકુ, લાલ સાડી. આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
4. શુક્રથી શુભ ફળ મેળવા માટે શુક્રવારે શુક્ર મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. 
શુક્ર મંત્ર - द्रां द्रीं द्रौं स: शुक्राय नम:. 
5. શુક્ર ગ્રહ માટે આ વસ્તુઓનુ દાન પણ કરી શકાય છે. હીરા, ચાંદી, ચોખા, સાકર, સફેદ વસ્ત્ર, દહીં, સફેદ ચંદન વગેરે.  આ વસ્તુઓના દાનથી શુક્રના દોષ ઓછા થઈ શકે છે.