Thursday, July 28, 2022

શ્રાણમાસમાં બિલ્વ પત્ર અર્પણ કરો છો , પણ શું તમને બિલ્વ વૃક્ષ વિશે આ જાણકારી છે.

 




૧ ) બીલી નું ઝાડ મહાદેવ સ્વરૂપ છે ૨) બિલી ની સેવા કરવાથી શ્રી લક્ષ્મી ની પ્રાપ્તિ થાય છે ૩)બિલી નો  કાંટો વાગવા થી મુત્યુ ની પીડા હરાય છે ૪)બિલી ની પ્રદક્ષિણા કરવાથી અડસઠ તીર્થોમાં પ્રદક્ષિણા કરવાનું પુણ્ય મળે છે ૫) નાના મોટા જીવ જંતુ જાણે અજાણે મારિયા હોય તો બિલી ની પ્રદક્ષિણા થી જ એ પાપ ધોવાય છે ૬) બિલી ના ઝાડ નીચે શિવપુરાણ વચવાથી અક્ષય પુણ્ય મળે છે ૭)બિલી ના ઝાડ ને પાણી  પીવડાવવા થી શિવ જી ના અભિષેક જેટલું જ પુણ્ય મળે છે ૮)બિલી ના ઝાડ નીચે દીવો કરવાથી તત્વજ્ઞાન  મળે છે આધ્યાત્મિક તત્વજ્ઞાન , મુડતત્વ ની પાપ્તી થાય છે ૯) આ મુત્યુ લોક માં જેના ઘરે બિલી છે એને જ પવિત્ર માનવામાં આવી યા છે તેના ઘરે અડસઠ તીર્થો

બિરાજમાન છે ૧૦) બિલી ના ઝાડ નીચે પ્રાથીવ શિવલિંગ/માટી નું શિવલિંગ બનવાનો ખુબ મહિમા છે ૧૧)બિલી ના ઝાડ ની નીચે જે ઓમ નમઃ શિવાય મહા મંત્ર ની માળા કરે છે તો જેટલા બિલી ના પાન છે તેટલા પાન મહાદેવ ને ચડાયા હોય એટલું પુણ્ય મળે છે ૧૨)કોઈ પણ માળા ને સિદ્ધ કરવી હોય તો બિલી ના ઝાડ નીચે  જાપ કરવો જ જોઈએ  શિવાલય માં જાપ થતાં હોય તો પણ ૩ વાર તો બિલી ના ઝાડ નીચે જાપ કરવો જ જોઈએ ૧૩) બિલી નું જંગલ જે લોકો બનાવે છે ભવો ભવ શ્રી લક્ષ્મી ની પ્રાપ્તી થાય છે ૧૪) બિલી ના ઝાડ ને સ્પર્શ કરવા માત્ર થી અઘોર પાપો માંથી મુક્તિ મળે છે ૧૫)બિલી ના ઝાડ ના પાન એ જ તોડી શકે છે જેને વાવિયું છે જેને ઉછેરિયું હોય એને પણ તોડવાનો અધિકાર નથી ( શિવ રહસ્ય) જે વાવે એ જ તોડે ૧૬) જે દિવસે જીવ જંતુ ને મારિયા હોય એ દિવસે બિલી ની ૧૦૮ પ્રદક્ષિણા થી એ પાપ થી મુક્ત થઈ શકાય છે ૧૭) બિલી નું ઝાડ એ મહાદેવ સ્વરૂપ હોવાથી દરશન કરવાથી એ દિવસે ના પાપ ધોવાઇ જાય છે ૧૮) જેને  આ ધરતી પર બિલી વાવી યા છે તેમને મહાદેવ ની દુનિયા માં વિશ્વ કલ્યાણ નું કામ કર્યું છે અને વિશ્વ કલ્યાણ એ જ શિવ નો સંકલ્પ છે જે થી એ જીવ ને શિવ પદ ની પ્રાપ્તિ થાય છે  ૧૯) બિલી ના ઝાડ નીચે શિવ ભક્ત ને જમાડવા થી  દ્રારિદ્ર નો નાશ થાય છે ૨૦) બિલી ના ઝાડ નીચે સૂવાથી કાલ રાત્રિ સુધરે છે ૨૧)બિલી ના ઝાડ નીચે ભોજન કરવાથી કાતો કરાવાથી ૬૮ તીર્થ માં ભોજન કરવાનું પુણ્ય મળે છે ૨૨) જે લોકો જ્યોતિર્લિંગ ની યાત્રા કરવામાં ( વૃદ્ધ  લોકો )અસફળ હોય તે જીવ એ બિલી નો આશ્રય લેવો જોઈએ અને જે ઘર ની બિલી ની છાયા નીચે હોય તે ઘર ઘર નથી તીર્થ છે જીવ નું  ખાવું પીવું સૂવું (જે ના ઘરે બિલી હોય )બિલી નીચે રાખવા માત્ર થી તીર્થો નું પુણ્ય મળે છે ૨૩) દેવતાઓ પણ બિલી ના ઝાડ ની સ્તુતિ કરે છે ૨૪) બિલી ના ઝાડ ના ક્યારા ને પાણી થી ભરી દેવાથી અને દીવો કરવાથી મહાદેવ  મહાદેવ રાજી થાય છે ૨૫)બિલી ના ઝાડ નીચે થી શબ યાત્રા નીકળે તો જીવ મુક્ત થાય છે ૨૬) માત્ર ૧ જ બિલી વાવવાથી ૧ કરોડ શિવ મંદિર નિર્માણ નું પુણ્ય મળે છે ૨૭) શિવમંદિર માં પખાલ થઈ ગઈ હોય તો બિલી ના ઝાડ ને પાણી અર્પણ કરી દેવું જે મહાદેવ ને ચડાયા બરાબર છે  ૨૮) બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિદેવ બિલી માં બિરાજમાન છે ૨૯)બિલી ના વૃક્ષ ને શ્રી વૃક્ષ કેહવાય છે ૩૦) જો (શક્ય હોય તો )જીવન માં ૧ વાર બિલી ના જંગલ માં ઝુપડું બનાઈને(  ૩,૫ ,૧૧ રાત્રિ )રેહવું જેથી ભવે ભવઃ ના તમામ અઘોર પાપો માંથી મુક્તિ મળે છે અને શિવ પદ મળે છે .

જાણો ભગવાન શિવ પંચમુખી કેમ કહેવાયા



 
શિવને પંચમુખી. દશભૂજા યુક્ત માનવામાં આવે છે. શિવના પશ્ચિમ મુખનુ પૂજન પૃથ્વી તત્વના રૂપમાં કરવામાં આવે છે. તેમના ઉત્તર મુખનુ પૂજન જળ તત્વના રૂપમાં. દક્ષિણ મુખનુ તેજસ તત્વના રૂપમાં અને પૂર્વ મુખનુ વાયુ તત્વના રૂપમાં કરવામાં આવે છે. ભગવાન શિવના ઉધ્વમુખનુ પૂજન આકાશ તત્વના રૂપમાં કરવામાં આવે છે આ પાંચ તત્વોનુ નિર્માણ ભગવાન સદાશિવ દ્વારા જ થયુ છે. આ પાંચ તત્વોથી સંપૂર્ણ ચરાચર જગતનુ નિર્માણ થયુ છે. ત્યારે જ તો ભવરાજ પુષ્પદંત મહિમ્નમાં કહે છે - હે સદાશિવ તમારી શક્તિથી જ આ સંપૂર્ણ સંસસર ચર-અચરનુ નિર્માણ થયુ છે. 


 
આ જ રીતે એ સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન શિવ ઉત્પત્તિ. સ્થિતિ અને સંહારના દ્રષ્ટા છે. નિર્માણ. રક્ષણ અને સંહરણ કાર્યોના કર્તા હોવાને કારણે તેમને જ બ્રહ્મા. વિષ્ણુ અને રુદ્ર કહેવામાં આવ્યા છે. ઈર્દ અને ઈત્થં સાથે તેમનુ વર્ણ શબ્દથી ઉપર છે. શિવની મહિમા વાણીનો વિષય નથી. મનનો વિષય પણ નથી. તે બધા બ્રહ્માંડમાં તદ્રુપ થઈને વિદ્યમાન થવાથી સદા શ્વાસ-પ્રશ્વાસમાં અનુભૂત થતા રહે છે.  આ જ કારણે ઈશ્વરના સ્વરૂપને અનુભવ અને આનંદની સંજ્ઞા આપવામાં આવી છે. 
 
ભગવાન શિવને અનેક નામોથી ઓળખવામાં આવે છે. જેમા ત્રિનેત્ર. જટાઘર. ગંગાધર. મહાકાલ. કાલ. નક્ષત્રસાધક. જ્યોતિષમયા. ત્રિકાલઘુપ. શત્રુહંતા વગેરે અનેક નામ છે. 
 
ભગવાન શિવનુ એક નમ શત્રુહંતા પણ છે. જેનો અર્થ છે તમારી અંદરના શત્રુ ભાવને સમાપ્ત કરવો. અનેક કથાઓમાં આપણે જોઈએ છીએ કે જ્યારે બ્રહ્માંડ પર કોઈ પણ વિપત્તિ આવી. બધા દેવતા શિવની પાસે ગયા. ભલે સમુદ્રમંથનથી નીકળણારુ ઝેર હોય કે ત્રિપુરાસુરના આતંક કે આપતદૈત્યનો કોલહલ. આ કારણે ભગવાન શિવ પરિવારના બધા વાહન શત્રુ ભાવ ત્યાગીને પરસ્પર મૈત્રીભાવથી રહે છે. શિવજીનુ વાહન નંદી(બૈલ). પાર્વતીનુ વાહન સિંહ, ભગવાનના ગળાનો સર્પ કાર્તિકેયનુ વાહન મયુર, ગણેશનુ ઉંદર બધા પરસ્પર પ્રેમ અને સહયોગના ભાવથી રહે છે. 
 
શિવને ત્રિનેત્ર કહેવામાં આવ્યા છે. આ ત્રણ નેત્ર સૂર્ય, ચંદ્ર અને વહની છે. જેમનુ નેત્ર સૂય્ર અને ચંદ્ર છે. શિવના વિશે જેટલુ જાણીએ એટલુ ઓછુ છે. વધુ ન કહેતા એટલુ જ કહેવુ પુરતુ રહેશે કે શિવ ફક્ત નામ જ નથી પણ સંપૂર્ણ બ્રહ્માંડની દરેક હલચલ પરિવર્તિત. પરિવર્તધન વગેરેમાં ભગવાન સદાશિવના સર્વવ્યાપી સ્વરૂપના જ દર્શન થાય છે.

Thursday, July 21, 2022

તમે તો છાસ પર GST નાખ્યો, અમે તો વીજળી મફત આપીશું.

 જે કામ અમે દિલ્હી અને પંજાબમાં કર્યુ તે ગુજરાતમાં કરીને બતાવીશું. આ સાથે જ તેમણે કહ્યું કે, માત્ર ફ્રી વીજળી જ નહી પરંતુ સાથે જ પાવર કટ પર નહી થાય એટલે કે 24 કલાક વીજળી મળી શકશે. કેજરીવાલે વીજળી સંબંધિત ત્રીજી મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, 31 ડિસેમ્બર પહેલા તમામ ડોમેસ્ટિક બિલ માફ કરી દેવામાં આવશે. તેમણે એ પણ દાવો કર્યો કે બિલ માફ કરવાથી સરકાર પર કોઈ બોજો નહી પડે. પણ જો 300 યુનિટ થી વધુ એટલે કે 301 યુનિટ હશે તો પૂરે પૂરુ બિલ ભરવું પડશે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત પ્રવાસે છે. સુરત પહોંચેલા અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કરેજરીવાલે વીજળીના ભાવ ઘટાડવાની ગેરંટી આપી છે. કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં સરકાર બન્યાના 3 મહિનામાં ફ્રી વીજળી આપીશું. દરેક પરિવારને 300 યુનિટ ફ્રી વીજળી મળશે. તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં લોકોને ખોટા ખોટા બિલો આપવામાં આવે છે. કેજરીવાલે કહ્યું કે, અમારી સરકાર બનતા જ 31 મહિના પહેલાના તમામ ડોમેસ્ટિક બિલ માફ કરાશે અને એવી વ્યવસ્થા કરીશું કે ખોટા બિલ નહીં આવે. તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકો માટે હાલમાં મોંઘવારી સૌથી મોટી સમસ્યા છે. તેમણે આગળ કહ્યું કે, અમે જે બોલીએ છીએ તે કરીને બતાવીએ છીએ. અમે ખોટા વચનો નથી આપતા. કેજરીવાલે દાવો કર્યો કે, આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબની જેમ ભારે બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.

તેઓ આજે ગુજરાતના રાજ્ય સંગઠન સાથે ચૂંટણીઅંગે સમીક્ષા બેઠક યોજશે.આજે સવારથી જ સુરતની ખાનગી હોટલમાં મીટિંગનો દોર ચાલુ છે. હોટલમાં સુરતના અલગ-અલગ સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી છે. કેજરીવાલે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે પણ મુલાકાત કરી હતી.



દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટીની નજર ગુજરાત પર છે. અહીં તેઓ સરકાર બનાવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે હવે આજે કેજરીવાલ વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) ધ્યાનમાં રાખી આપના હોદ્દેદારો તથી સંગઠનો સાથે બેઠક યોજશે.

Explainer: શું તમારે પણ ભાડા પર GST આપવો પડશે?

  જીએસટી કાઉન્સિલની તાજેતરમાં મળેલી બેઠકમાં જીએસટીના નિયમોમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. આ ફેરફારો 18 જુલાઇથી અમલમાં આવ્યા હતા.



જેમાં ભાડા પર જીએસટી સાથે જોડાયેલા નિયમો સામેલ છે. 17 જુલાઇ સુધી ભાડા પર જીએસટીની કોઇ વ્યવસ્થા નહોતી. પરંતુ જીએસટી કાઉન્સિલની ભલામણો બાદ 13 જુલાઇના રોજ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં ભાડા પર જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. જો કે, ભાડા પરનો ટેક્સ અમુક સંજોગોમાં જ વસૂલવામાં આવશે. જો તમે નોકરી કરો છો અને તમે ફ્લેટ ભાડે લીધો છે, તો તમારે ભાડા પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. જાણો જીએસટી અંતર્ગત રિવર્સ ચાર્જ મિકેનિઝમ (RCM) હેઠળ કોને ભાડા પર ટેક્સ આપવો પડશે.

શું છે નિયમ?
18 જુલાઈથી લાગુ થયેલા નવા નિયમો હેઠળ જો કોઈ અનરજિસ્ટર્ડ વ્યક્તિ (નોકરીયાત વ્યક્તિ કે નાનો બિઝનેસમેન) જીએસટી હેઠળ નોંધાયેલ વ્યક્તિને પોતાનો ફ્લેટ ભાડે આપે છે તો ભાડા પર જીએસટી લાગશે. રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડુઆતને ભાડા પર 18 ટકા જીએસટી આપવો પડશે. સાથે જ તેના પાલન સાથે જોડાયેલી ઔપચારિકતાઓ પણ તેમણે પૂરી કરવાની રહેશે. ટેક્સના નિયમો હેઠળ, વ્યક્તિનો અર્થ માત્ર વ્યક્તિગત જ નથી થતો, પરંતુ તે એક વિસ્તૃત ટર્મ છે અને તેમાં કંપનીઓ તેમજ તમામ કાનૂની સંસ્થાઓનો સમાવેશ થાય છે.

સવાલો કેમ ઉઠી રહ્યા છે?
જે લોકોને પગાર મળે છે તેમને જીએસટી રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી. ઉપરાંત, તમામ ઉદ્યોગપતિઓ, વ્યાવસાયિકો અને વ્યવસાયિક સંસ્થાઓને નોંધણીની જરૂર હોતી નથી. જો કોઈ સર્વિસ પ્રોવાઈડરનું વાર્ષિક ટર્નઓવર 20 લાખ રૂપિયા હોય તો તેણે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ગુડ્સ સપ્લાયર્સ માટે આ મર્યાદા 40 લાખ રૂપિયા છે. પરંતુ ઘણા કિસ્સામાં આથી ઓછું ટર્નઓવર ધરાવતા લોકોએ જીએસટી પણ નોંધાવ્યો છે. આ એટલા માટે છે કારણ કે આ તેમના ગ્રાહકો અથવા ગ્રાહકોને સપ્લાય ચેઇનમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરવાની મંજૂરી આપે છે. સોશિયલ મીડિયામાં જીએસટી કોના પર લાગશે અને કોના પર નહીં થાય તે અંગે અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. ત્રણ ઉદાહરણમાં તેને સમજવાનો પ્રયત્ન કરીએ.

ઉદાહરણ નંબર 1
માની લ્યો કે કોઈ બિઝનેસ કન્સલ્ટન્ટ જીએસટી હેઠળ રજિસ્ટર્ડ છે. તેણે એક અનરજીસ્ટર્ડ વ્યક્તિ પાસેથી પોતાના અને તેના પરિવાર માટે એક ફ્લેટ ભાડે રાખ્યો છે. એક સીએ ફર્મના ફાઉન્ડર સુનીલ ગાબાવાલાના જણાવ્યા અનુસાર, જો બિઝનેસ કન્સલ્ટન્ટ પોતાના આઇટીઆરમાં ભાડાનો દાવો નહીં કરે તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ નહીં પડે. વર્ક ફ્રોમ હોમે તેમાં મૂંઝવણ ઉભી કરી છે. ગાબાવાલાએ જણાવ્યું હતું કે, જો કોઈ પ્રોફેશનલ કે ગિગ વર્કર જીએસટી હેઠળ રજિસ્ટર્ડ હોય અને એકમાત્ર માલિક તરીકે પોતાની સેવાઓ આપે તો તેણે પોતાના નામે રહેણાંકની મિલકત ભાડે ન લેવી જોઈએ. આનાથી તેને ભવિષ્યમાં કોઈપણ પ્રકારના વિવાદથી બચવામાં મદદ મળશે. જો ભાડુઆત જીએસટી હેઠળ રજિસ્ટર્ડ નહીં હોય તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ લાગુ નહીં પડે.

ઉદાહરણ નંબર 2
જો કોઈ કંપનીએ તેના કોઈ કર્મચારી અથવા ડિરેક્ટર માટે ફ્લેટ ભાડે લીધો હોય અને મકાનમાલિક જીએસટીમાં નોંધાયેલ નથી. આવા કિસ્સામાં કંપનીએ રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ ભાડા પર જીએસટી ચૂકવવો પડશે. ગાબાવાલાએ જણાવ્યું હતું કે જો કર્મચારીએ મકાન ભાડે રાખ્યું હોય અને કંપની તેનું પૂરું ભાડું ન ચૂકવે તો ભાડા પર જીએસટી નહીં લાગે.

ઉદાહરણ નંબર 3
મકાનમાલિક અને ભાડુઆત બંનેનું જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન નથી તો આ કેસમાં રેન્ટ ટેક્સનો નવો નિયમ લાગુ નહીં પડે. તાજેતરમાં ચંદીગઢમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની 47મી બેઠકમાં ઘણી વસ્તુઓને જીએસટીના દાયરામાં લાવવાનો અને ઘણી વસ્તુઓ પર જીએસટીના દરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રિપેકેજ્ડ અને લેબલવાળા અનાજ, કઠોળ અને લોટને પ્રથમ વખત જીએસટીના દાયરામાં લાવવામાં આવ્યા છે. જો કે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, ખુલ્લામાં તેમના વેચાણ પર જીએસટી નહીં લાગે.


Tuesday, July 19, 2022

આ મંત્ર જપશો તો ઈટરવ્યુમાં જરૂર સફળતા મળશે

office


ઈંટરવ્યુનું નામ સાંભળતા જ મોટાભાગના લોકોને પરસેવો છૂટી જાય છે. દરેક સમયે એ જ વાત મગજમાં ફરે છે કે ઈંટરવ્યુમાં કયો પ્રશ્ન પૂછશે. તેમને જવાબ આપી શકીશ કે નહી. આ રીતે ઈંટરવ્યુ પહેલા જ અનેક લોકો નર્વસ થઈ જાય છે. જો તમે પણ ઈંટરવ્યુ આપવા જઈ રહ્યા છો તો નીચે લખેલા ઉપાય કરો. આ ઉપાયથી ઈંટરવ્યુમાં સફળતા મળવાના ચાંસ વધી જાય છે. 
 
 
મંત્ર 
 
ऊँ ह्रीं वाग्वादिनी भगवती मम कार्य सिद्धि कुरु कुरु फट् स्वाहा।
 
ઉપાય - શુભ દિવસ જોઈને સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી સફેદ રંગનુ સૂતી આસન પાથરી પૂર્વ દિશા તરફ મોઢુ કરીને તેના પર બેસી જાવ. હવે તમારી સામે પીળુ કપડું પાથરીને તેના પર 108 દાણાવાળી સ્ફટિકની માળા મુકી દો અને તેના પર કેસર અને અત્તર છાંટી તેની પૂજા કરો. 
 
ત્યારબાદ ધૂપ, દીપ અને અગરબત્તી બતાવીને નીચે લખેલ મંત્રનો 31 વાર ઉચ્ચારણ કરો. આ રીતે અગિયાર દિવસ સુધી કરવાથી તે મળા સિદ્ધ થઈ જશે. જ્યારે પણ કોઈ ઈંટરવ્યુમાં જાવ તો આ માળાને પહેરીને જાવ. આવુ કરવાથી જલ્દી ઈંટરવ્યુમાં સફળતા મળશે. 
 

Sunday, July 17, 2022

દીપક પ્રગટાવવાથી લક્ષ્મી, સૌભાગ્ય અને સફળતા મળે છે


diya
 
ધાર્મિક સમાગમ હોય કે કોઈ શુભ કામ તેની શરૂઆત કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે.  સવારે અને સાંજના સમયે કરવામાં આવતી આરતી અને પૂજામાં પણ દીવો પ્રગટાવવાની પરંપરા છે. શાસ્ત્રો મુજબ ભગવાનની પૂજામાં સૌથી વધુ મહત્વપુર્ણ નિયમ છે દીવો પ્રગટાવવો. દીવા સિવાય કોઈપણ પ્રકારની પૂજા કર્મ અધૂરા જ માનવામાં આવે છે.  સાંજ થતા પહેલા દીવો પ્રગટાવી લેવાથી ઘર-પરિવાર પર પર લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
દીવો પ્રગટાવવાથી અંધારામાં પ્રકાશ પથરાય જાય છે. પ્રકાશ જ્ઞાનનો ઘોતક છે અને અંધારુ અજ્ઞાનનું, જ્ઞાન એ આંતરિક અજવાળુ છે જેનાથી બહારના અંધારા પર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેથી દીવો પ્રજવલ્લિત કરી આપણે જ્ઞાનના એ સાગર સામે નતમસ્તક થઈએ છીએ. 
 
દીવાનુ મહત્વ છે કે દીવાની અંદર જે ઘી કે તેલ હોય છે તે આપણી વાસનાઓ, આપણા અહંકારનું પ્રતીક છે અને દીવાની વાટ દ્વારા આપણે આપણી વાસનાઓ અને અહંકારને સળગાવીને જ્ઞાનનો પ્રકાશ ફેલાવીએ છીએ. બીજી મહત્વપુર્ણ વાત એ છે કે દીવાની વાટ કાયમ ઉપરની તરફ ઉઠે છે જે દર્શાવે છે કે આપણે જીવનને જ્ઞાન દ્વારા ઉચ્ચ આદર્શો તરફ વધારવા જોઈએ. 
 
કોઈપણ મંગલ કાર્ય શરૂ કરતા પહેલા દીવાને પ્રગટાવતી વખતે આ મંત્રનો જાપ કરવાથી જલ્દી જ સૌભાગ્ય અને સફળતાઓ મળે છે. 
 
दीपज्योति: परब्रह्म: दीपज्योति: जनार्दन:।
दीपोहरतिमे पापं संध्यादीपं नामोस्तुते।।
शुभं करोतु कल्याणमारोग्यं सुखं सम्पदां।
शत्रुवृद्धि विनाशं च दीपज्योति: नमोस्तुति।।

રવિવારે આ સૂર્ય મંત્રથી પૂરી થશે દરેક ઈચ્છા


 
 
આજે રવિવાર છે અને આજના દિવસ સૂર્યદેવની પૂજા કરી જાય છે. સૂર્યદેવની પૂજા કરવા ખૂબ ફલદાયી હોય છે. સૂર્ય્દેવને હિન્દૂ ધર્મના પંચદેવોમાંથી પ્રમુખ દેવતા ગણાય છે. સૂર્યદેવની ઉપાસના કરવાથી જ્ઞાન , સુખ, સ્વાસ્થય , પદ સફળતા , પ્રસિદ્ધિ વગેરે મળે છે. તો આજના દિવસે સૂર્ય્દેવને ખુશ કરવા માટે આ ઉપાય કરો.
 
સવારે નહાવીને સફેદ વસ્ત્ર પહેરો અને સૂર્યદેવને નમસ્કાર કરો. 
 
નવગ્રહ મંદિઅરમાં જઈને સૂર્યદેવને લાલ ચંદનના લેપ , કુમકુમ ચમેલી અને કનેરના ફૂલ અર્પિત કરો. 
 
દીપ પ્રગટાવી , મનમાં સફળતા અને યશની કામના કરો અને અ સૂર્ય મંત્રના જાપ કરો. 
 
વિષ્ણવે બ્રહ્મણે નિત્યં ત્રયમ્કાય તથાત્મને 
મંસ્તે સપ્ત્લોકેશ નમ્સ્તે સપ્ત્સપ્ત્યે
હિતાય સર્વભૂતાના શિવાયાર્તિહરાય ચ 
નમ: પદ્મપ્રબોધાય નમો વેદાદિમૂર્તયે

Saturday, July 16, 2022

તમારી હથેળીનો રંગ અને તમારુ ભવિષ્ય



jyotish 2014
હસ્તરેખા વિજ્ઞાનમાં જ્યા રેખાઓ અને ચિન્હો સાથે હાથ અને નખના પ્રકાર મહત્વપુર્ણ હોય છે. બીજી બાજુ હથેળીઓનો રંગોની પણ ભવિષ્ય કથનમાં મોટી ભૂમિકા હોય છે. 
 
ગ્રંથોમાં સ્પષ્ટ વર્ણન છે.. 
 
'धनी पाणितले रक्ते नीले मद्यं पिवेन्नरः।
आग्रायागमनः पीते कहमले धनवर्जितः।'
 
અર્થાત.. સમૃદ્ધ અને ધની વ્યક્તિની હથેળીનો રંગ રક્ત વર્ણ મતલબ લાલ હોય છે. ભૂરા રંગની હથેળીવાળા મધ્ય પ્રેમી મતલબ દારૂડિયા હોય છે. કહમલે યાની મટમેલા રંગની હથેળીવાળા લોકો સામાન્ય રીતે ધનહીન હોય છે. 
 
હસ્ત સંજીવન નામના ગ્રંથમાં પણ લાલ રંગની હથેળીનો સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. 
 
'करतलैर्देव शार्दूल लक्ष्माभैरीश्वराः स्मृताः।
अगम्यागामीनः पीतैरक्षैनिर्धनता स्मृताः।
अपेयपानं कुर्वन्ति नील कृष्णैस्तभैव च।'
 
અર્થાત હથેળીનો રંગ લાલ હોવો વ્યક્તિના એશ્વર્યશાળી હોવાનુ પ્રતીક છે. ચમકીલુ અને ચિકણો હાથ શ્રીમંત હોવાનો સંકેત છે. 
આભાહીન અને શુષ્ક હાથ દરિદ્રતાનુ કારક છે. ભૂરો અને કાળો હાથ દારૂડિયા અને પીત હસ્ત વ્યભિચારી હોવાના લક્ષણ છે. 
 
હાથનો રંગ અને તેના પ્રકાર 
 
લાલ રંગ - આ રંગની હથેળીવાળા લોકો જીવનમાં સમસ્ય એશ્વર્યને ભોગે છે. તેના નાના પ્રકારના સુખ અને આનંદ પ્રાપ્ત થાય છે. આ લોકો પ્રચુર ધનના સ્વામી હોય છે. સ્વભાવથી આ ભાવુક અને ક્રોધી હોય છે. આ લોકો વૈચારિક રૂપે અસ્થિર હોય છે. 
 
ઘટ્ટ ગુલાબી - આ પ્રકારના હાથવાળા સામાન્ય રીતે શ્રીમંત હોય છે. આ લોકો ક્રોધી અને તુનક મિજાજના પણ હોય છે. તેમની બુદ્ધિ સ્થિર નથી હોતી.  તે જલ્દી પસન્ના થઈ જાય છે અને જલ્દી નારાજ પણ થઈ જાય છે.  તેમના વિચાર, દ્રષ્ટિકોણ, પસંદ-નાપસંદ બધુ જ પરિવર્તનશીલ હોય છે. તેમને મધ્ય આયુ સુધી હાઈબીપી ની સમસ્યા ઘેરી લે છે. 
 
હળવો ગુલાબી - આ લોકો ઉત્તમ માનવીય ગુણોથી સંપન્ન, શ્રીમંત અને એશ્વર્યશાળી હોય છે. તેમની અંદર ગજબનો ઉત્સાહ જોવા મળે છે. ધૈર્ય તેમની અંદર ઠૂસી ઠૂસીને ભરેલુ હોય છે.  દયા, ક્ષમા અને પ્રેમ તેમના સ્વભાવનો મૂળ આધાર છે. આ લોકો આશાવાદી અને પ્રસન્નચિત્ત હોય છે. આ લોકો કલા અને પ્રકૃતિના પ્રેમી હોય છે. 
 
પીળો -  આ લોકો દ્રઢ વિચારોવાળા નથી હોતા. માનસિક રૂપે પરેશાન અને નિરાશાવાદી હોય છે સ્વભાવમાં મધુરતાની કમી હોય છે. તેમના પગના રોગોથી કષ્ટ પ્રાપ્ત થાય છે. આળસને કારણે પ્રગતિ નથી કરી શકતા. તેમના જીવનમાં સંઘર્ષ હોય છે.  
 
બૈગની કે પીળો - ભૂરા રંગની હથેળીવાળા નિરાશાવાદી હોય છે. તેમના જીવનમાં સંધર્ષ વધુ હોય છે. આ લોકો એકાંતવાળા હોય છે. તેમને રક્ત વિકારથી કષ્ટ થાય છે. મદ્યપાન સહિત અન્ય વ્યસનોની ટેવને કારણે કાર્યક્ષમતા અને પ્રતિભા નષ્ટ થવા માંડે છે. આ લોકો સમાજ પ્રત્યે પોતાની જવાબદારીથી દૂર રહે છે. સ્વભાવથી આ લોકો સૂકા અને ચિડાયેલા હોય છે. 
 
 
માટીના રંગ જેવો - કાળા ભૂરા કે માટીના રંગની હથેળીવાળા લોકો કર્મઠ નથી હોતા. આ લોકો ખૂબ જ રહસ્યવાદી હોય છે. વાતચીતમાં અસત્ય તથ્યોની મદદ લે છે. પુરૂષાર્થની કમી હોય છે. તેમનુ વ્યક્તિત્વ નિસ્તેજ હોય છે. આ લોકો સ્વાસ્થ્યની સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે.   તેમના ચેહરા પર ઉદાસીનો અભાવ હોય છે. ધનની કમી કાયમ રહે છે. તેમને રક્ત અને કફ સંબંધી સમસ્યાઓ પ્રાપ્ત થાય છે. 
 
નિસ્તેજ સફેદ - સફેદ હથેળીના લોકો ઉત્સાહહીન અને એકાંતપ્રિય હોય છે. માનસિક શક્તિની કમી હોય છે. આ લોકો અધિક કર્મટ હ નથી હોતા. 
 
ચમકદાર સફેદ - ચમત્કારી શ્વેત હથેળીવાળા લોકો અલૌકિક શક્તિઓના સ્વામી હોય છે. તેમને પરાશક્તિનુ જ્ઞાન હોય છે. વિચારોથી તેઓ ખૂબ જ સંતુલિત હોય છે. તેમની વિચારધારા આધ્યાત્મિક હોય છે. આ લોકો શાંતિના દૂત હોય છે. આ લોકો સ્વસ્થ રહે છે. 
 
હથેળીના રંગોનુ પરીક્ષણ કરતા પહેલા હાથનો સ્પર્શ ન કરવો જોઈએ નહી તો હાથના ઘર્ષણથી, સ્પર્શથી, વ્યાયામથી મુશ્કેલ શ્રમથી હથેળીનો રંગ ક્ષણિક રૂપે બદલાય જાય છે. તેનાથી ભવિષ્ય કથનમાં વ્યવધાન ઉત્પન્ન થાય છે કે ભવિષ્યકથન પ્રભાવિત થઈ શકે છે. તેથી જ્યારે વ્યક્તિ સ્વસ્થ હોય છે. આરામથી બેસ્યો હોય તણાવમાં ન હોય ત્યારે રંગોનુ પરિક્ષણ સત્ય ભવિષ્યનો સંકેત આપી શકશે.

BREAKING:ગુજરાતથી માત્ર 110 કિમી દૂર છે લો પ્રેશર, ગુજરાતના દરિયા કાંઠે (Gujarat Sea) 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

 ગુજરાત (Gujarat Rainfall) માટે આગામી 24 કલાક ભારે કહેવામાં આવી રહ્યા છે. હવામાન વિભાગે દરિયા કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. મહત્ત્વની વાત એ છે કે, આ ગુજરાતથી માત્ર 110 કિમી દૂર છે લો પ્રેશર, ગુજરાતના દરિયા કાંઠે (Gujarat Sea) 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.



દરિયામાં ભારે પવન ફુંકાવાની શક્યતા છે, દરિયામાં ઉછળી શકે છે ઉંચા મોજા. હવે આકાશી તાંડવ બાદ દરિયો તોફાન મચાવશે. તંત્ર દ્વારા માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

ભારે વરસાદ બાદ નદીઓ ગાંડીતૂર બની, તોફાની નદીઓના પાણી લોકોના ઘરમાં પહોંચ્યા અને તારાજી સર્જી, હજું નદીઓના પાણીનો કહેર ઓછો નથી થયો ત્યાંજ હવે દરિયો ગાંડો બન્યો છે. દરિયો ડરાવી રહ્યો છે. સાચવજો, ગુજરાત માટે હજું 24 કલાક ભારે છે.

ગુજરાત પણ જાણે કુદરત કોપાઈમાન થયા હોય તેમ, જુલાઈ મહિનામાં એક બાદ એક જોખમ ગુજરાત પર તોળાઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાતનો દરિયો આગામી ત્રણ દિવસ ભારે તોફાન કરી શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. ત્યારે કહી શકાય કે, ગુજરાતમાં હાલ એક સાધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિ છે. કેમ કે હવે દરિયો ડરાવી રહ્યો છે. એટલે સાચવજો ગુજરાતવાસીઓ, આગામી 24 કલાક અત્યંત ભારે છે.

ગુજરાતમાં આકાશી તાંડવ બાદ દરિયો કરી શકે છે જોરદાર તોફાન, છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના દરિયાકાંઠ કરંટ તો જોવા મળી જ છે પણ હવે દરિયાનું પાણી આપના ગામમાં પણ ઘુસી શકે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નદીઓ ગાંડીતૂર અને આકાશમાંથી આફત વરસતા જળતાંડવ તો યથાવત છે. ત્યારે આ સંકટ ગુજરાતને ચિંતામાં મુકી રહ્યું છે. જેના પરિણામે હાલ રાજ્યના દરેક બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર 3 લગાવી દેવાયું છે. તો બીજી તરફ માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.

વલસાડના દરિયાએ તો અત્યારથી જ તોફાન કરવાનું શરૂ કરી દીધું છે. વલસાડના દરિયાના પાણી દરિયાકાંઠે વસેલા દાતી ગામમાં ઘુસવાના શરૂ થઈ ગયા છે. જેના કારણે આ ગામના 6 હજાર લોકો પર સંકટ ઘેરાયું છે. તો પોરબંદરના બંદર પણ પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. પોરબંદરના દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં જોરદાર કરંટ જોતા હાલ ત્યાં લોકોને ન જવા તંત્રએ સૂચના આપી છે.

દક્ષિણ ગુજરાતમાં હજુ પણ ભયાનક સ્થિતિ છે. ત્યારે નવસારીના દાંડી બીચ પર દરિયામાં જોરદાર કરન્ટ જોવા મળ્યો છે. જેના કારણે અહીં 15થી 20 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સૂચના મુજબ અહીં પણ તંત્ર દ્વારા પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું

અરબ સાગરમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને ઉંચા ઉંચા મોજાં ઉછળવાની શરૂઆત પણ થઈ છે. વલસાડના તિથલના દરિયાકિનારે જોરદાર ઉંચા મોજાં ઉછળ્યાં છે. હવામાન વિભાગે કેટલીગ જગ્યાએ ખૂબ ઉંચા મોજાં ઉછળવાની પણ સંભાવના દર્શાવી છે. આ તરફ નવસારી, પોરબંદર,દીવ તથા ગીર સોમનાથના દરિયો પણ તોફાની બન્યો છે. પ્રવાસીઓને દરિયાકાંઠે સાવચેત રહેવા સૂચના જાહેર કરાઈ છે. એક તરફ વરસાદ યથાવત છે ત્યારે બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.

Friday, July 15, 2022

વડોદરામાં સાડીના શો રૂમના માલિકને ૧૧કરોડ ની ખંડણી ઉઘરાવવા ધમકી મળી.

 વડોદરામાં આવેલી જાણીતા ઠાકુર સાડી શો રૂમના માલિકને નામચીન ગુનેગાર અનિલ ઉર્ફે એન્થોનીના નામે રૂપિયા ૧૧ કરોડ રૂપિયાની ખંડણી માટે ધમકી મળી હતી. એન્થોનીના નામે ધમકી આપનાર વડોદરાના વારસીયા વિસ્તારનો નામચીન રવિ દેવજાની ઝપટમાં આવી ગયો હતો.



વડોદરામાં જુદાજુદા વિસ્તારોમાં પ્રખ્યાત એવી ઠાકુર સાડીના સ્ટોર્સ ધરાવતા મનોજભાઇ ગોવિંદભાઇ સાધનાનીને ૧૧ જુલાઇના રોજ રાત્રે વોટ્સએપ ઓડિયો કોલ આવ્યો હતો કે, તુ મીક્કી છે ને?

મને ૧૧ કરોડ રૂપિયા જોઇએ અને તું ૧૧ કરોડ નહીં આપે તો તારી છાતી ઉપર બંદુકની ગોળીઓ મારી જાનથી મારી નાખીશ અને તારા ફેમિલીમાંથી પણ કોઇને જીવતો બચવા નહીં દઉ. હું અનિલ ઉર્ફે એન્થોની બોલું છું. થોડીવાર બાદ એ જ મોબાઇલ પરથી ફરી વેપારી મનોજભાઇને વીડિયો કોલ આવ્યો હતો. જેમાં ધમકી આપનારે સિલ્વર અને બ્લેક કલરની બે બંદુકો બતાવી ૧૧ કરોડ રૂપિયા નહીં આપે તો આ બંદુકોથી જાનથી મારી નાખીશ.




તારી છોકરી કઇ સ્કૂલમાં ભણવા જાય છે તે મને ખબર છે તેને ઉઠાવી લઇશ અને તારા પરિવારમાં બધાને પુરા કરી દઇશ.વિડિયો કોલ દરમિયાન ધમકી આપનારને ચહેરો દેખાઇ ગયો હતો અને મનોજભાઇ તેને ઓળખી ગયા હતા. કારમાં બેસી ધમકી આપનાર આ શખ્સ રવિ બિમનદાસ દેવજાની (રહે. દાજીનગર, વારસિયા રીંગ રોડ, વડોદરા) હતો. મનોજભાઇએ તેને વારસિયામાં આવેલ સમાજના મંદિરમાં તેને જોયો હતો. જ્યાર બાદ ફરી એક વખત રવિ દેવજાનીએ એ જ નંબરથી ઓડિયો કોલ કરી ૧૧ કરોડની ખંડણી માંગી હતી.નામચીન રવિ દેવજાની પણ સતત લોકેશન બદલતો હતો. આખરે તે વડોદરા આવી રહ્યો હોવાની જાણ થતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

શિવ પુરાણ - શિવ મહિમા

શિવલિંગના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે, મધ્યમાં ભગવાન વિષ્ણુ વિરાજમાન છે અને ઉપરના ભાગમાં ૐ કાર રૂપ ભગવાન સદાશિવ વિરાજમાન છે.   શિવલિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબા પાર્વતીજીનું પરમ પવિત્ર પ્રતીક છે. સાધકે ખાસ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, આ ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનું એકસાથે એકાકાર અસ્તિત્વ ગણીને અર્ચન-પૂજન માની લેવાય છે.   આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો (બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ), ઉમા, લક્ષ્મી, શચિ ઇત્યાદિ દેવીઓ, સમસ્ત લોકપાલ, પિતૃગણ, મુનિગણ, યક્ષ, ગંધર્વ, કિન્નર અને પશુ-પક્ષી સર્વનો સમાવેશ થઈ જાય છે! 

 
 
  શિવલિંગ અને વેદીમાં વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલ લિંગની સહાયતાથી ભૂપ્રકાસ્ય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્યબ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે. પછી એ જીવાત્માને આવાગમનનો જરાય ભય રહેતો નથી.   શિવલિંગની પૂજા આ વ્રતના દિવસે ષોડશોપચાર વિધિથી કરવાથી કે કરાવવાથી શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ એટલે મંગલ. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધૂપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ સોળ પ્રકારનાં પૂજનને "ષોડશોપચાર" કહેવામાં આવે છે.   શિવલિંગના પાચ સ્વરૂપો છે. પૂજન માટે વપરાતા શિવલિંગના પાચ પ્રકારો આ પ્રકારે છે: (૧) સ્વયંભૂ લિંગ (૨) બિંદુ લિંગ (૩) સ્થાપિત લિંગ (૪) ચરલિંગ (૫) ગુરુ લિંગ 
 
શ્રી શિવ મહાપુરાણની કથા એ ભગવાન શિવ તરફની યાત્રાનો પ્રારંભ છે. ભગવાન શિવના દર્શનની કથા છે. જે મન અને શરીરના રોગોને દૂર કરી શાશ્વત શાંતિનો અનુભવ કરાવનાર છે. આ કથા ગાવી, કહેવી, સમજવી કે સમજાવવી અઘરી છે. હત કઠિન, સમુજત કઠિન સાધન કઠિન આમ છતાં કોઇ સાચા સંત કે નિઃસ્‍પૃહી શિવભક્ત વક્તા દ્વારા સમજવામાં આવે તો જીવનના કેટલાય કોયડાઓનો ઉકેલ આવી જાય છે. શિવ કથા સાંભળતા પહેલા બુદ્ધિ અને અહંને પોતાનાથી અળગા રાખીને સાંભળવાથી જ તેમાં સમાયેલા તથ્‍યો સમજી શકાય છે. તૂટતી જતી સમાજ વ્‍યવસ્‍થાને જોડવાનો રામબાણ ઇલાજ ભગવાન શિવના ચરિત્રની કથા એટલે શ્રી શિવ મહાપુરાણની કથા છે. સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે. જે કુટુંબમાં નાના મોટા સૌ કોઇ પુજાયા છે. તેઓ તો પુજાયા એટલું જ નહિ તેમના વાહનો પણ પુજાયા છે. બધાના સ્‍વભાવ જુદા જુદા હોવા છતાં ભેટા થઇ કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે. 
 
શ્રી શિવ મહાપુરાણ સ્‍વયં ભગવાન શિવજીએ રચ્‍યું છે. તેનું સંક્ષિપ્‍ત સ્‍વરૂપ શ્રી વેદ વ્‍યાસજીએ આપ્‍યું છે. આ શિવ મહાપુરાણમાં સાત સંહિતાઓ, ૨૯૭ અધ્‍યાય અને ૨૪૦૦૦ શ્લોક છે. શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે. જેનાથી માણસની દશા સુધરે છે. સમાજના મુખ્‍ય પ્રશ્નો જેવાકે,
 
* સદ વિચાર કેવી રીતે ઉદભવે ?
*  ભક્તિ કેવી રીતે મળે ? 
* શું કરવાથી વિવેક વધે ? 
*  જીવનમાં વિકાર આવે તો શું કરવું જોઇએ ? 
*  પરમાત્‍મા સાથે જીવની સુરતા કેવી રીતે બંધાય ? 
* પરમાત્‍મા કોણ છે ? પરમાત્‍માને કેવી રીતે મેળવી શકાય ? 
 
આ બધા જ પ્રશ્નોના જવાબ શ્રી શિવ મહાપુરાણ આપે છે. જ્યાં શિવકથાનું આયોજન થાય છે ત્‍યાં બધા તિર્થોનો વાસ થાય છે. એક દિવાસળી સળગાવતાં જેમ અંધકારનો નાશ થાય છે, તેમ શિવ કથા ઘોર પાપોનો નાશ કરે છે. શિવ એટલે કલ્‍યાણ જેનું નામ લેવાથી સર્વનું કલ્‍યાણ થાય છે તેવા ભગવાન શિવના ચિત્રની કથા એટલે જ શ્રી શિવ મહાપુરાણ કથા.

શ્રાવણ માસના કોઈ પણ શનિવારે કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો તમારુ ભાગ્ય



શાસ્ત્રમુજબ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના એકાદશ રૂદ્રાવતાર હનુમાનજીનો જન્મ થયો હતો. પંચાગ મુજબ હનુમાનજીનો જન્મ પૂર્ણિમા તિથિ અને હસ્ત નક્ષત્રના સંયોગમાં થયો હતો. જ્યોતિષશાસ્ત્ર મુજબ સૂર્ય શનિ અને રાહુના દોષોના નિવારણ માટે હનુમાન આરાધના વિશેષ માનવામાં આવે છે. પરંતુ શ્રાવણ માસના કોઈ પણ શનિવારે આ ઉપાય અને હનુમંત આરાધના કરવામાં આવે તો જરૂરથી ફાયદો થાય છે. આ દિવસે વિશેષ રૂપે કરવામાં આવેલ હનુમાન સાધના રોગ, શોક અને દુખોને મટાડીને વિશિષ્ટ ફળ આપે છે. 


તો  રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો પોતાનુ ભાગ્ય :

મેષ રાશિ - એકમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર બુંદી ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો
વૃષ રાશિ - રામચરિતમાનસના સુંદર-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મીઠો રોટ ચઢાવીને વાંદરાઓને ખવડાવો.
મિથુન રાશિ - રામચરિતમાનસના અરણ્ય-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર પાન ચઢાવીને ગાયને ખવડાવો.
કર્ક રાશિ - પંચમુખી હનુમંત કવચનો પાઠ કરો અને હનુમાનજી પર પીળા ફૂલ ચઢાવીને જળપ્રવાહ કરો.
સિંહ રાશિ - રામચરિતમાનસના બાલ-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળની રોટલી ચઢાવીને ભિખારીને ખવડાવો
કન્યા રાશિ - રામચરિતમાનસના લંકા-કાંડનો પાઠ કરો અને હનુમાન મંદિરમાં શુદ્ધ ઘી ના 6 દીવા પ્રગટાવો.
તુલા રાશિ - રામચરિતમાનસના બાળ કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર ખીર ચઢાવીને ગરીબ બાળકોમાં વહેંચો
વૃશ્ચિક રાશિ  - હનુમાન અષ્ટકનો પાઠ કરો અને હનુમાનજી પર ગોળવાળા ચોખા ચઢાવીને ગાયને ખવડાવો
ધનુ રાશિ - રામચરિતમાનસના અયોધ્યા કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મધ ચઢાવીને ખુદ પ્રસાદના રૂપમાં આરોગો. 
મકર રાશિ - રામચરિતમાનસના કિષ્કિન્ધા-કાંડનો પાઠ કરો અને હનુમાનજી પર મસુર ચઢાવીને માછલીઓને ખવડાવો.
કુંભ રાશિ -  રામચરિતમાનસના ઉત્તર કાંડનો પાઠ કરે અને હનુમાનજી પર મીઠી રોટલીઓ ચઢાવીને ભેંસોને ખવડાવે
મીન રાશિ - હનુમંત બાહકનો પાઠ કરે અને હનુમાનજીના મંદિરમાં લાલ રંગની ધ્વજા કે પતાકા ચઢાવે.

શનિદેવને લોખંડ ચઢાવવાથી મળે છે સોનુ, જાણો કેવી રીતે ..



 
શનિદેવને લોખંડ સૌથી વધુ પ્રિય છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ પૃથ્વીના ગર્ભમાં સૌથી વધુ રૂપમાં લોખંડ જ સમાયુ છે. લોખંડ જ છે જે તપીને પોલાદ બને છે. વાસ્તવિકતામાં શનિ અને મંગળ વચ્ચે લોખંડ જ એ કનેક્શન છે જેને આ બે ગ્રહ એક બીજા સાથે જોડાયેલા છે. શનિદેવને મંગળની વસ્તુઓ ચઢાવવાથી બળ મળે છે. કેટલા વિશેષ પ્રસંગો પર લોખંડ ચઢાવવાથી કળયુગના ક્રોધિત દેવતાનું મન પીઘળી જાય છે. આ વિશેષ યોગમાં થોડુક લોખંડ પારસ પત્થર બની જાય છે.  આ વિશેષ યોગમાં શનિદેવ પર વિધિ-વિધાનથી લોખંડ ચઢાવવાથી મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. 
 
પૌરાણિક મતમુજબ અને માન્યતાનુસાર સૂર્યપુત્ર શનિદેવને દેવગુરૂ બૃહસ્પતિ પાસેથી આ વરદાન પ્રાપ્ત છે કે જ્યારે પણ શનિવારના દિવસે બૃહસ્પતિના નક્ષત્ર વિશાખામાં આવે છે એ દિવસે શનિદેવ પર લોખંડ ચઢાવવાથી વ્યક્તિને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. માન્યતામુજબ શ્રાવણ માસમાં શનિવારના દિવસે ગુરૂનો નક્ષત્ર વિશાખા આવતા જો સપ્તમી તિથિ પડે છે તો સુયશ નામનો યોગ બને છે. આ યોગને લોખંડ દિવસના નામથી પણ ઓળખવામાં આવે છે. 
 
માન્યતામુજબ કળયુગમાં શનિદેવનો વાસ લોખંડમાં હોય છે. આવામાં શનિદેવને ચઢાવાતુ લોખંડ સુવર્ણના રૂપમાં ફરીથી પ્રાપ્ત થાય છે.  આવુ જ એક દાન પૌરાણિક કાળમાં શ્રીરામના પિતા રાજા દશરથે પણ કર્યુ હતુ. રાજા દશરથ દ્વારા નિર્મિત શનિદેવ ખુદ રાજા દશરથને આ વાત આ શ્લોકના રૂપમાં કહે છે. 
 
श्लोक: (शनिरुवाच) शमीपत्रैः समभ्यर्च्य प्रतिमां लोहजां मम । माषौदनं तिलैर्मिश्रं दद्याल्लोहं तु दक्षिणाम् ॥४९॥
 
લોખંડ દિવસના રૂપમાં આવો જ સુંદર યોગ આગામી શ્રાવણ માસના શનિવાર તારીખ 22.08.15ના રોજ આવી રહ્યો છે. આ તારીખે શનિવાર છે, બૃહસ્પતિનો નક્ષત્ર વિશાખા છે અને સપ્તમી તિથિ પણ છે.

Saturday, July 25, 2015

બારણા પર સિદૂર લગાડવાના ફાયદા

 
તમે જોયું હશે કે ઘણા લોકો પ્પોતાના બારણા પર સરસવના તેલ અને સિંદૂર ના તિલક લગાવી રાખે છે. ખાસ કરીને દીવાળીના દિવસે તો જરૂર જ તેલ અને સિંદોર લગાવે છે . શું તમે જાણો છો એના પાછળના કારણ શું છે. 
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ બારણા પર સિંદૂર અને તેલ લગાડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાના પ્રવેશ નહી થાય છે . આ ઘરમાં રહેલી વાસ્તુદોષને પણ દૂર કરવામાં કાગર માન્યું છે. 
 
વાસ્તુ વિશેષજ્ઞ મુજબ બારણા પર સિંદૂર લગાડવાથી દેવી લક્ષ્મીની કૃપા મળે છે. જ્યારે સરસવના તેલ શનિના પ્રતિનિધિ ગણાય છે જે ખરાબ નજરથી રક્ષા કરે છે. 
 
જ્યારે વિશેષજ્ઞ બારણા પર તેલ લગાડવાથી બારણા લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

Saturday, July 18, 2015

ગાયત્રીની સાથે આત્મ-સંબંધ બાંધનાર મનુષ્યમાં નિરંતર એક એવો સૂક્ષ્મ અને ચેતન વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે.


ગાયત્રી એક એવી દૈવી શક્તિ છે જેની સાથે સંબંધ સ્થાપીને મનુષ્ય પોતાના જીવન વિકાસમાં ખૂબ મદદ મેળવી શકે છે. પરમાત્માની અનેક શક્તિઓ છે. બધી શક્તિઓનાં કાર્યો અને ગુણો જુદા જુદા છે, તમામ શક્તિઓમાં ગાયત્રીનું સ્થાન ખૂબ ઊંચું છે. ગાયત્રી શક્તિ મનુષ્યમાં સદ્બુદ્ધિ પ્રેરે છે. ગાયત્રીની સાથે આત્મ-સંબંધ બાંધનાર મનુષ્યમાં નિરંતર એક એવો સૂક્ષ્મ અને ચેતન વિદ્યુતપ્રવાહ વહેવા લાગે છે.
બ્રહ્માજીએ ચાર વેદોની રચના કરતાં પહેલાં ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્રની રચના કરી. ગાયત્રી મંત્રના ૨૪ અક્ષરો એવું બીજ છે જે પ્રસ્ફુરિત થઈને વેદોના મહા વિસ્તારના રૃપમાં પ્રગટ થયું છે.
ગાયત્રી મંત્ર સર્વોપરી મંત્ર છે. એનાથી કોઈ મોટો મંત્ર નથી. જે કામ દુનિયાના બીજા કોઈ મંત્રથી થતું નથી તે નિશ્ચિત રૃપે ગાયત્રી મંત્રથી થઈ શકે છે. ગાયત્રી પ્રચંડ શક્તિ છે, તે જે કોઈ કામમાં વપરાય ત્યાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
ગાયત્રી મંત્રના અર્થ પર મનન અને ચિંતન કરવાથી અંતઃકરણમાં એવાં તત્ત્વોની વૃદ્ધિ થાય છે જે મનુષ્યને દેવત્વ તરફ લઈ જાય છે. ભાવો બહુ શક્તિદાયક, ઉત્સાહપ્રદ, સતગુણી અને આત્મબળ વધારનારા છે.
વેદમાતા ગાયત્રીના મહિનાનું વર્ણન વેદ, શાસ્ત્ર, પુરાણ વગેરે બધા ગ્રંથોમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં ગાયત્રીની સ્તુતિ કરતા કહેવામાં આવ્યું છેઃ
સ્તુતા નયા વરદા વેદમાતા પ્રચોદયન્તા પાવમાની દ્વિજાનામ
આયુઃ પ્રાણં પ્રજાં પશું ર્કીિત દ્રવિણં બ્રહ્મ વર્ચસમ્ ાા અથર્વવેદ - ૧૯-૧૭-૧૦
(મારા દ્વારા સ્તુતિ કરવામાં આવેલી, દ્વિજોને પવિત્ર કરનાર વેદમાતા તેમને આયુષ્ય, પ્રાણશક્તિ, પશુ, ર્કીિત, ધન તેમજ બ્રહ્મતેજ પ્રદાન કરે છે)
ગાયત્રી શક્તિના મોટા લાભોના મૂળમાં એવા કયા કારણો હશે જેથી આપણને આટલી બધી નવાઈ લાગે છે. બાબતનું સંપૂર્ણ જ્ઞાાન પ્રાપ્ત કરવું તો મનુષ્ય માટે ઘણું મુશ્કેલ છે પરંતુ ગાયત્રીની પાછળ અનેક મનસ્વી સાધકોનું ઝગમગતું સાધનાબળ કામ કરી રહ્યું છે. સૃષ્ટિની રચના કરનાર બ્રહ્માથી માંડીને આધુનિક સમય સુધી સર્વ ઋષિ-મુનિઓએ, સાધુ-મહાત્માઓએ તેમજ શ્રેય માર્ગના પથિકોએ ગાયત્રી મંત્રનો આશ્રય લીધો છે. બધા ઋષિ-મુનિઓએ જેટલા સાધના,જપ,અનુષ્ઠાન વગેરે ગાયત્રી મંત્રના કર્યા છે તેટલા અન્ય કોઈ મંત્રાદિના કર્યા નથી. તેમણે પોતાની અત્યંત ઉચ્ચ ભાવનાઓને અધિકાધિક એકાગ્રતા અને તન્મયતાપૂર્વક ગાયત્રી મંત્રમાં લગાડી છે.
શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રનો મહિમા વર્ણવતા પ્રમાણ આપવામાં આવેલ છે. ગંગા, ગીતા, ગાય અને ગાયત્રી આર્યધર્મના આધારસ્તંભ છે. ભારતીય ધર્મનો દરેક અનુયાયી ચારેયને માતા જેટલું માન આપે છે. આર્યધર્મના બધા અનુયાયીઓ એક માતાના સંતાન હોય તે રીતે પરસ્પર એકતાનો અનુભવ કરે છે.
ગાયત્રીને આધ્યાત્મિક ત્રિવેણી કહેવામાં આવે છે. ગંગા અને યમુનાના સંગમથી એક અદૃશ્ય, સૂક્ષ્મ અને અલૌકિક દિવ્ય નદીનો આવિર્ભાવ થાય છે. જેને આપણે સરસ્વતી કહીએ છીએ. ગંગા, યમુના અને સરસ્વી ત્રણેય નદીઓના પવિત્ર સંગમને આપણે ત્રિવેણી કહીએ છીએ. ત્રિવેણી હોવાને કારણે પ્રયાગને તીર્થરાજ કહે છે. સર્વ તીર્થોનો રાજા ગણાય છે. રીતે આધ્યાત્મિક જગતની ત્રિવેણી તે ગાયત્રી છે. ત્રયી શક્તિમાં અનેક ત્રિકમો ગૂંથાયેલ છે. () સત્, ચિત્ત, આનંદ () સત્ય, શિવ, સુંદર () સત, રજ, તમ્ () ઈશ્વર, જીવ, પ્રકૃતિ () ત્રડક, યજુ, સામ () બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય () ગુણ, કર્મ, સ્વભાવ () શૈશવ, યૌવન, વૃદ્ધાવસ્થા () બ્રહ્મા, વિષ્ણુ, મહેશ (૧૦) ઉત્પત્તિ, વૃદ્ધિ, લય (૧૧) ઠંડી,ગરમી, વર્ષા (૧૨) ધર્મ, અર્થ, કામ (૧૩) આકાશ, પાતાળ, પૃથ્વી (૧૪) દેવ, મનુષ્ય, અસુર વગેરે અસંખ્ય ત્રિકમો ગાયત્રી છંદના ગર્ભમાં સંપુટિત કરેલા છે. ભૌતિક જગતની ત્રિવેણીમાં સ્નાન કર્યાથી મળતા પુણ્યની જેમ આધ્યાત્મિક પુણ્યલાભ મળે છે. ત્રણ અક્ષરોમાં અનેક પ્રકારોની ત્રણ - ત્રણ સમસ્યાઓ મનુષ્ય સમક્ષ મૂકવામાં આવી છે. તેમાં યોગ્ય રીતે ઊંડા ઉતરીને જીવનમુક્તિનું શ્રેષ્ઠ ફળ મેળવી શકાય છે.  ગાયત્રીના ત્રિવેણી પ્રવાહમાં ડૂબકી મારીને સ્નાન કરવાથી ભય દૂર થઈ જાય છે. શાંતિદાયક શીતળતા મળે છે. ગાયત્રીમાં છુપાયેલી સમસ્યાઓનું ચિંતન, મનન અને અવગાહન કરવાથી એવા તત્ત્વદર્શનની પ્રાપ્તિ થાય છે જે મનુષ્યને સદ્માર્ગે વાળે છે અને શાશ્વત સુખના દ્વાર સુધી પહોંચાડવામાં મદદરૃપ થાય છે.
ગાયત્રી મંત્રનો મહિમા અનંત છે. વેદ, પુરાણ, શાસ્ત્ર, ઈતિહાસ, ઋષિ, મુનિ, સંસારી - વૈરાગી વગેરે તમામ તેની મહત્તાનો સ્વીકાર કરીને જગતમાં સુખી બન્યા છે. મંત્રમાં મનુષ્યની દૃષ્ટિ બદલી નાખવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આપણા ખોટા દૃષ્ટિકોણને કારણે સ્વર્ગમાંથી નરક બનેલું છે. મનની ભ્રાંતિઓને દુૂર કરવાની શક્તિ ગાયત્રીમાં છે. જે વ્યક્તિ ગાયત્રી મંત્રના પાવરનો ઉપયોગ કરતા શીખી જાય છે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈને પરમાત્માની શાશ્વત શાંતિને પ્રાપ્ત કરે છે. ગાયત્રી ત્રિગુણાત્મક છે. એની ઉપાસનાથી જેમ સત્વગુણ વધે છે રીતે કલ્યાણકારક અને ઉપયોગી રજોગુણની પણ અભિવૃદ્ધિ થાય છે.
રજોગુણી આત્મબળ વધવાથી મનુષ્યની ગુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જે સાંસારિક જીવનના સંઘર્ષમાં અનુકૂળ પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. ઉત્સાહ, સાહસ, ર્સ્ફૂિત, ચેતના, આશા, દૂરદર્શિતા, તીવ્ર બુદ્ધિ, તકની ઓળખ, વાણીમાં માધુર્ય, વ્યક્તિત્વમાં આકર્ષણ, સ્વભાવમાં સારાપણું જેવી અનેક વિશેષતાઓ વિકસિત થાય છે. પ્રકારના ગુણો વિકસાવવાથી સામાન્ય વ્યક્તિ પણ ધનિક અને સમૃદ્ધિવાળો બની જાય છે. ગાયત્રી મંત્રમાં એવી તાકાત છે કે તેના સાધકને તે ગમે તેવી સ્થિતિમાં બેઠો કરી શકે છે. જેઓ વેદમાતાનું શરણ સ્વીકારે છે તેમના જીવનમાં સત્વ, ગુણ, વિવેક, સદ્ વિચાર અને સત્કાર્યો પ્રત્યે અસાધારણ રુચિ ઉત્પન્ન થાય છે. તે આત્મજાગૃત્ત, લૌકિક અને પર લૌકિક, સાંસારિક અને આત્મિક સર્વ પ્રકારની સફળતાઓ અપાવનાર છે.
ગાયત્રી મંત્રનું અર્થચિંતન
ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
ઓમ     :           બ્રહ્મ
ભૂઃ        :           પ્રાણસ્વરૃપ
ભુવઃ      :           દુઃખનાશક
સ્વઃ       :           સુખસ્વરૃપ
તત્        :          
સવિતુઃ   :           તેજસ્વી, પ્રકાશવાન
વરેણ્યઃ   :           શ્રેષ્ઠ
ભર્ગો      :           પાપનાશક
દેવસ્ય    :           દિવ્યતાને આપનાર
ધીમહી   :           ધારણ કરીએ છીએ
ધિયો      :           બુદ્ધિ
યો         :           જે
નઃ         :           અમારી
પ્રચોદયત્િ         :           પ્રેરિત કરો

Monday, July 13, 2015

ગુરૂવારે કરશો આ 5 ઉપાય તો દૂર થઈ શકે છે ગુરૂના દોષ


 
જો કુંડળીમાં ગુરૂ ગ્રહ (બૃહસ્પતિ) સંબંધિત કોઈ દોષ હોય તો તેની શાંતિ માટે ગુરૂવારે વિશેષ પૂજન કરવામાં આવે છે. 
બૃહસ્પતિ દેવતાઓના ગુરૂ પણ છે. ગુરૂ વૈવાહિક જીવન અને ભાગ્યનો કારક ગ્રહ છે. અહી જાણો બૃહસ્પતિ ગ્રહની પૂજાના 5 ઉપાય. જેમાથી આ ગ્રહના દોષોને દૂર કરી શકાય છે.. 
 
1. ગુરૂવારે ગુરૂ ગ્રહના નિમિત્ત વ્રત રાખો. જેમા પીળા વસ્ત્ર પહેરો અને મીઠા વગરનું ભોજન કરો. ભોજનમાં પીળા રંગના ખાદ્ય પદાર્થ જેવા કે બેસનના લાડુ, પાકી કેરી, કેળા વગેરેનો સમાવેશ કરી શકાય છે.. 
2. ગુરૂ બૃહસ્પતિની પ્રતિમા કે ફોટોને પીળા વસ્ત્ર પર વિરાજીત કરો. ત્યારબાદ પંચોપચારથી પૂજા કરો. પૂજામાં કેસરિયા, ચંદન, પીળા ચોખા, પીળા ફૂલ અને નૈવૈદ્યમાં પીલા પકવાન કે ફળ અર્પણ કરો. આરતી કરો. 
3. ગુરૂ મંત્રનો જાપ કરો - મંત્ર ૐ બૃં બૃહસ્પતે નમ: મંત્રના જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. 
4. ગુરૂ સાથે જોડાયેલ પીળી વસ્તુઓનુ દાન કરો. પીળી વસ્તુ જેવી કે સોનુ, હળદર, ચણાની દાળ, કેરી વગેરે. 
5. શિવજીને બેસનના લાડુનો ભોગ લગાવો. 
 
આ ઉપાયોથી ધન, સંપત્તિ, વિવાહ અને ભાગ્ય સંબંધી અવરોધો દૂર થઈ શકે છે.

Friday, July 10, 2015

શુક્રવારે કરો જ્યોતિષના આ નાના નાના ઉપાયો


 
કુંડળીમાં  શુક્ર ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને પૂર્ણ સુખ સુવિદ્યાઓ પ્રાપ્ત થતી નથી. સાથે જ વૈવાહિક જીવનમાં પણ
rashi puja
મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. શુક્રના દોષો દૂર કરવા માટે શુક્રવારે વિશેષ ઉપાય કરી શકાય છે. શાસ્ત્રો મુજબ શુક્રવારે દેવી લક્ષ્મીના ઉપાયો પણ કરી શકાય છે. અહી જાણો નાના-નાના 5 ઉપાય 
 
1. દરે શુક્રવારે શિવલિંગ પર દૂધ અને જળ અર્પિત કરો. સાથે જ ૐ નમ: શિવાય મંત્રનો જાપ કરો. મંત્ર જાપ ઓછામાં ઓછો 108 વાર કરવો જોઈએ. મંત્ર જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો જોઈએ. 
2. કોઈ ગરીબ વ્યક્તિને કે કોઈ મંદિરમાં દૂધનું દાન કરો. 
3. શુક્રવારે કોઈ વિવાહિત સ્ત્રીને સુહાગના સામાનનુ દાન કરો. સુહાગનો સામાન જેવી કે બંગડીઓ, કંકુ, લાલ સાડી. આ ઉપાયથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 
4. શુક્રથી શુભ ફળ મેળવા માટે શુક્રવારે શુક્ર મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. 
શુક્ર મંત્ર - द्रां द्रीं द्रौं स: शुक्राय नम:. 
5. શુક્ર ગ્રહ માટે આ વસ્તુઓનુ દાન પણ કરી શકાય છે. હીરા, ચાંદી, ચોખા, સાકર, સફેદ વસ્ત્ર, દહીં, સફેદ ચંદન વગેરે.  આ વસ્તુઓના દાનથી શુક્રના દોષ ઓછા થઈ શકે છે.

Tuesday, June 30, 2015

તમારી શ્રીમંત બનવાની ઈચ્છાને પૂર્ણ કરશે આ પૂજન


 
                                                                                                                                                    વ્યવસાયિક ક્ષેત્રોમાં દિવસે બેગુણી અને રાત્રે ચારગણી સફળતા મેળવવામાં દેવી લક્ષ્મીની પૂજા વિશેષ લાભકારી છે. જે લોકો શ્રીમંત બનવા માંગે છે તેઓ આ રીતે પૂજન કરે. 

 
પ્રદોષકાળના સમયે સ્નાન કરી ઘરની પશ્ચિમ દિશામાં એક ચૌકી પર લાલ કપડું પાથરીને તેના પર કેસર મેળવેલ ચંદનથી અષ્ટદળ બનાવીને તેના પર ચોખા મુકી જળ કળશ મુકે(પાણી ભરેલ લોટો).  કળશની પાસે હળદરથી કમળ બનાવીને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો. માતા લક્ષ્મીની મૂર્તિ સામે શ્રીયંત્ર પણ મુકો. કમળના ફૂલથી પૂજન કરો. આ ઉપરાંત સોના-ચાંદીના સિક્કા મીઠાઈ, ફળ પણ મુકો. ત્યારબાદ માતા લક્ષ્મીના આઠ રૂપોની આ મંત્રો સાથે કંકુ, અક્ષત અએન ફૂલ ચઢાવતા પૂજા કરો. ત્યારબાદ ધૂપ અને ઘી ના દિવાથી પૂજા કરી નૈવૈદ્ય કે ભોગ ચઢાવો. મહાલક્ષ્મીજીની આરતી કરો. 
 
 
यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः।
 
सन्तनोति वचनाङ्गमानसैः त्वां मुरारिहृदयेश्वरीं भजे॥
 
 
મંત્રનો અર્થ - હે મહાદેવી લક્ષ્મી જે ભક્ત તમારા નયન કટાક્ષોની વિધિપૂર્વક પૂજા કરે છે તેને ધન-ધાન્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના હ્રદયમાં નિવાસ કરનારી હે લક્ષ્મી હુ મારા શબ્દો અને કર્મો સહિત તમને દંડવત પ્રણામ કરુ છુ. 
 
કનકધારા સ્તોત્રનો આ મંત્ર પરમપૂજ્ય શંકરાચાર્યની કૃતિ છે.

Saturday, June 27, 2015

તંત્ર-મંત્ર : ઘરને ખરાબ નજરથી બચાવતો મંત્ર


ઘરની પવિત્રતા માટે નિયમિત રૂપે રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો અને દર મંગળવાર-શનિવારે હનુમાનજીના મંદિરે જઈને સુંદરકાંડનો પાઠ કરો.

ચારે બાજુની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ નષ્ટ કરવા માટે તમારા ઘરમાં નિયમિત રૂપે ગૌ મૂત્ર છાંટો. ગૌ મૂત્રને પવિત્ર પદાર્શ માનવામાં આવે છે અને તેમા વાતાવરણમાં રહેલ બધી નકારાત્મક શક્તિઓન સમાત્પ કરવાની શક્તિ હોય છે.

જો તમને શંકા હોય કે કોઈએ તમારા પર કોઈ ટોટકો કર્યો છે તો પણ ગૌ મૂત્ર સર્વશ્રેષ્ઠ ઈલાજ છે. તમારા શરીર પર ગૌ મૂત્ર છાંટો.


રોજ થોડુ થોડુ ગૌ મૂત્ર પીવાથી પણ ફાયદો થાય છે.

માત્ર આ બે સરળ ઉપાયોથી બધા પ્રકારના ટોટકાઓ અને ખરાબ દ્રષ્ટિના પ્રભાવથી બચી શકાય છે.

તમારા ઘરને ખરાબ દ્રષ્ટિથી બચાવે છે આ મંત્ર

ઘરને નજરથી બચાવવા માટે આ મંત્રને લખીને ઘરમાં ભગવાનના મંદિરમાં મુકો. આ મંત્રની સાથે ક નારિયળ અને સોપારી મુકો.

।। नमस्‍ते रूद्ररूपाय करिरूपाय ते नम:।।

Friday, June 26, 2015

ઘરમા ન રાખવી જોઈએ આ 7 તૂટેલી વસ્તુઓ.. તેનાથી દરિદ્રતા આવે છે


vastu

ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે.. આ માટે જૂના સમયથી જ અનેક પરંપરાઓ પ્રચલિત છે. આ પરંપરાઓ જુદી-જુદી વસ્તુઓ અને કાર્યોથી જોડી છે. બધાના ઘરમાં કશુને કશુ વસ્તુઓ ટૂટી-ફ્રૂટી થાય છે. બેકાર હોય છે.  પછી પણ કોઈ ખૂણામાં પડી રહે છે.   7 વસ્તુઓ એવી બતાવાર રહી છે જે ટૂટી-ફૂટી અવસ્થામાં ઘરમાં ન મુકવા જોઈએ. જો આ વસ્તુઓ ઘરમાં હોય છે તો તેમની નકારાત્મક અસર પરિવારના બધા સભ્યો પર થાય છે.   જેનાથી માનસિક તણાવ વધે છે અને કાર્યોમાં ગતિ નથી બની શકતી. આ કારણે ધન સંબંધી કાર્યોમાં પણ અસફળતાના યોગ બને છે. ઘરમાં દરિદ્રતાનું આગમન થઈ શકે છે. અહી જાણો આ 7 વાતો કંઈ કંઈ વસ્તુઓ છે. 
 
1. વાસણ - અનેક લોકો ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો પણ રાખે છે જે અશુભ પ્રભાવ આપે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં તૂટેલા-ફૂટેલા વાસણો ન રાખવા જોઈએ. જો આવા વાસણો ઘરમાં મુકવામાં આવે છે તો તેનાથી મહાલક્ષ્મી અપ્રસન્ન થાય છે અને દરિદ્રતાનો પ્રવેશ આપણા ઘરમાં હોઈ શકે છે. તૂટેલા-ફૂટેલા અને બેકાર વાસણો ઘરમાં સ્થાન પણ ઘેરે છે. તેનાથી વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નકારાત્મક ફળ મળવા લાગે છે. 
 
અરીસો - તૂટેલો અરીસો મુકવો વાસ્તુ મુજબ એક મોટો દોષ છે. આ દોષને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તણાવનો સામનો કરવો પડે છે. 
 
પલંગ - વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો બિલકુલ ન હોય. જો પલંગ ઠીક નહી હોય તો પતિ-પત્નીના વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવવાની શક્યતા ખૂબ વધી જાય છે. 
 
ઘડિયાળ - ખરાબ ઘડિયાળ ઘરમાં ન મુકવી જોઈએ. એવુ કહેવાય છે કે ઘડિયાળની સ્થિતિથી આપણા ઘર-પરિવારની ઉન્નતિ નક્કી થાય છે. જો ઘડિયાળ યોગ્ય નહી  હોય તો પરિવારના સભ્ય કાર્ય પુર્ણ કરવામાં અવરોધોનો સામનો કરશે અને કામ નક્કી સમયમાં પુર્ણ નહી થઈ શકે. 
 
તસ્વીર - જો ઘરમં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. વાસ્તુ મુજબ આ પણ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે.  
 
દરવાજો - જો ઘરનો મુખ્ય દરવાજો કે અન્ય કોઈ દરવાજો ક્યાકથી તૂટી રહ્યો હોય તો તેને તરત જ ઠીક કરાવી લેવો જોઈએ. દરવાજામાં ટૂટ-ફૂટ અશુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. 
 
ફર્નીચર - ઘરનુ ફર્નીચર પણ એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ. વાસ્તુ મુજબ ફર્નીચરની ટૂટ-ફૂટની પણ ખરાબ અસર આપણા જીવન પર થાય છે. 
 
વાસ્તુ દોષ ઉત્પન્ન થતા ઘર-પરિવારના સભ્યોને આર્થિ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે ઘરમાં વાસ્તુ દોષ હોય છે ત્યા પૈસાની કમી કાયમ રહે છે. તેથી આ દોષોનું નિવારણ તરત જ કરી લેવુ જોઈએ.